Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratનાગ પાંચમ ની ઉજવણી..

નાગ પાંચમ ની ઉજવણી..

દર વર્ષે શ્રાવણ મહિના ની વદ પાંચમ ના દિવસે ગુજરાત માં નાગ પાંચમીની ઉજવણી કરવામાં આવે છે. વિવિધ ધર્મ, પ્રાંત, સંપ્રદાય, પરંપરા થી ભરેલો ભારત દેશ અનેક જીવોને પૂજે છે.

એમાંય હિંદુ ધર્મ માં અનેક જીવોને ભગવાન નો દરજ્જો આપી પૂજવામાં આવે છે. લાખો જીવોનું કલ્યાણ થાય, સન્માન થાય અને પૂજા થાય એવી દરેક માટે પ્રાર્થના પણ કરવામાં આવે છે. પૃથ્વી પર ના જીવ નાગ નું પૂજન નાગ પાંચમી ના દિવસે કરવામાં આવે છે.

પુરાણોમાં, દંત કથાઓ માં અને વિવિધ પ્રાંતોમાં નાગ ના મહત્વ નો ઉલ્લેખ કરવામાં આવે છે. નાગને દેવતા રૂપે રજૂ કરી એના મંદિરો બનાવી પૂજા અર્ચના પણ કરતો ભારતમાં એક મોટો વર્ગ છે.

ભારત કૃષિ પ્રધાન દેશ છે. આ દેશના મોટા ભાગના ખેડૂત સાપ અને નાગને સકારાત્મક દ્રષ્ટિએ જૂએ છે. સંસ્કૃતિ અને આસ્થા ને કારણે ઘણાં પ્રાંત ના લોકો નાગ નું પૂજન કરે છે. આ વર્ષે શ્રાવણનો સોમવાર અને નાગ પંચમી એક સાથે હોવાથી મંદિરો માં શ્રધ્ધાળુઓ ની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં સાબરમતી નદીના તટ પર આવેલા નાગ દેવતાના મંદિર ના પ્રાંગણ માં તેમજ શહેર ના નાના મોટા મંદિરો માં નાગ પાંચમીની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular