Thursday, June 12, 2025
Google search engine
HomeNewsGujaratCM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સી. જે. ચાવડા ભાજપમાં જોડાશે

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સી. જે. ચાવડા ભાજપમાં જોડાશે

અમદાવાદઃ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા આજે ભાજપમાં જોડાશે. વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા  કાર્યક્રમમાં તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. તેમની સાથે કોંગ્રેસના 10 મોટા આગેવાનો પણ ભાજપમાં જોડાશે.

વિજાપુર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નાથાલાલ પટેલ ભાજપમાં જોડાશે. એ સાથે  કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી વિજય પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા હર્ષદ પટેલ, ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વિનોદ પટેલ, વિજાપુરના ભૂતપૂર્વ તાલુકા પ્રમુખ ચંદનજી ઠાકોર, કોંગ્રેસ તાલુકા સમિતિના પ્રમુખ દિનેશજી ચૌહાણ અને કોંગ્રેસ આગેવાન વિનોદ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ પણ ભાજપમાં જોડાશે.

કોંગ્રેસના પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલે સી જે ચાવડાના ભાજપપ્રવેશ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતાઓને તોડી, ફોડી, દબાવી અને લાલચ અપાય છે. સરકારે પરિસ્થિતિ વિકટ કરતાં ભારે મને કોંગ્રેસ છોડવા મજબૂર કરાય છે. હાલ કોંગ્રેસમાં કોઇ નારાજ નથી.  કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે,પોતાના વિચારો રજૂ કરતા હોય છે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સમયે સી.જે.ચાવડાએ ભાજપના ભરપેટ વખાણ કર્યાં હતા. મેં 25 વર્ષ સુધી મે કૉંગ્રેસમાં સેવા કરી કોંગ્રેસ સામે કોઈ ફરિયાદ નથી, પાર્ટીએ મને ઘણું આપ્યું છે, નરેન્દ્ર મોદીની દેશ અને દુનિયામાં લોકચાહના છે. PM મોદીએ રાષ્ટ્રનું મહત્વ વધાર્યુ છે. હું મોદીની વિકાસ યાત્રાનો વિઘ્ન બનવા નથી માગતો.

રાજ્ય સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી. જે. ચાવડા છેલ્લાં 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ રહ્યા હતા. મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા. 2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી હાર્યા હતા.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular