Monday, June 30, 2025
Google search engine
HomeNewsGujaratચાંગોદર-બાવળા હાઇવે પર આઇશરમાં બ્લાસ્ટઃ બે મજૂરોનાં મોત

ચાંગોદર-બાવળા હાઇવે પર આઇશરમાં બ્લાસ્ટઃ બે મજૂરોનાં મોત

અમદાવાદઃ અમદાવાદના ચાંગોદર અને બાવળા હાઇવે પર એક ઓક્સિજન સિલિન્ડર ભરેલી આઇશરમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં બે મજૂરોનાં મોત થયા છે, જ્યારે એક રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો છે. અમદાવાદ-બાવળા હાઈ-વે પર, ચાંગોદર-સારી પાટિયા નજીક ભયંકર અકસ્માતની ઘટના સર્જાયો છે.ચાંગોદર-બાવળા હાઇવે પર સોમવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો છે, અહીં હાઇવે પર એક ઓક્સિજન સિલિન્ડર ભરેલી આઇશરમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં બે મજૂરોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા, જ્યારે આ બ્લાસ્ટ દરમિયાન રસ્તા પર ચાલતી એક મહિલાને પણ ગંભીર રીતે ઇજા પહોંચી હતી. હાલમાં આ ઘાયલ રાહદારી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ચાંગોદર-બાવળા હાઇવે પર આઇશરમાં બ્લાસ્ટ થવાને કારણે આખો હાઇવે રોડ બ્લૉક થઇ થયો હતો અને ઠેર-ઠેર વાહનોના ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયાં હતાં. ખાસ વાત છે કે  અકસ્માત થયેલી આઇશરમાં ઓક્સિજન સિલિન્ડર વટવાની એવરેસ્ટ ગેસ કંપનીનાં હતા, જેને બાવળાની કંપનીમાં લઈ જવામાં આવી રહ્યાં હતાં.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular