Thursday, May 22, 2025
Google search engine
HomeNewsGujaratતાંત્રિક વિધિ કરી 12 લોકોના જીવ લેનાર ભુવાનું પોલીસ કસ્ટડીમાં મોત

તાંત્રિક વિધિ કરી 12 લોકોના જીવ લેનાર ભુવાનું પોલીસ કસ્ટડીમાં મોત

અમદાવાદના સરખેજ પોલીસે તાંત્રિક વિધિ કરી લોકોને મૂરખ બનાવતા આરોપી ભુવા નવલસિંહ ચાવડાને પાંચ દિવસ પહેલા ઝડપી પાડ્યો હતો.  રિમાન્ડ દરમિયાન પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી નવલસિંહનું આજે રવિવારે મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, પોલીસ સમક્ષ કબૂલાત બાદ ભુવાની તબિયત લથડી હતી. લોક-અપમાં આરોપીને વોમીટ થયા બાદ તે ઢળી પડ્યો હતો, અને તેનું મોત થયું હતું. પોલીસનો દાવો છે કે આરોપીની નવલસિંહ ભુવાએ પૂછપરછ દરમિયાન તેણે અત્યારસુધીમાં 12 લોકોની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

 

અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચાંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતને ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા રૂપિયાના ચાર ગણા કરી આપવાની લાલચ આપી હતી. ભુવાએ ફેક્ટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને ઝેરી પદાર્થવાળુ પ્રવાહી ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાની યોજના ઘડી હતી. ફેક્ટરીના માલિકની હત્યા કરી ભુવો સમગ્ર રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો. જોકે, સમગ્ર મામલાની સરખેજ પોલીસને બાતમી મળતા, પોલીસ સમયસર ઘટના સ્થળે પહોંચી જતા ફેક્ટરીના માલિકનો જીવ બચ્યો હતો. ભુવાની ચાલમાં ફસાયેલો ફેક્ટરીનો માલિક તેનો કૌટુંબિક સંબંધિ થતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી ભુવો મૂળ વઢવાણનો રહેવાસી હતો અને થોડા દિવસ પહેલાં અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યો હતો. આરોપી વઢવાણમાં મસાણી મેલડી માતાનો મઢ ચલાવતો હતો. ત્યાં ભુવા તરીકે તાંત્રિક વિધિ કરતો હતો. એટલું જ નહીં, આ ભુવો યુ-ટ્યુબ પર મોજે મસાણી નામની ચેનલ બનાવી હતી. જેમાં તાંત્રિક વિદ્યા કરતા વીડિયો પણ શેર કરતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ ખુલાસો થયો કે ભુવો ક્રાઇમ પેટ્રોલ શો વધારે જોતો હતો અને તેનાથી પ્રેરણા મેળવી સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યો હતો. આ સોડિયમ નાઇટ્રેટ કોઈ બહારની લેબમાંથી ખરીદ્યુ હતું. નોંધનીય છે કે, આરોપી નવલસિંહે ફેક્ટરીના માલિક પાસેથી 15 લાખના રોકાણ પર ચાર ગણા કરી આપવાની લાલચ આપી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular