Saturday, July 19, 2025
Google search engine
HomeNewsGujaratભૂપેન્દ્રસિંહને રાહતઃ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા સામે સ્ટે આપ્યો

ભૂપેન્દ્રસિંહને રાહતઃ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા સામે સ્ટે આપ્યો

અમદાવાદઃ ગુજરાતના કાયદા અને શિક્ષણ પ્રધાન તથા ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રીમ કોર્ટેમાંથી મોટી રાહત મળી છે. 2017ની ધોળકા વિધાનસભાની ચૂંટણીમાં ચુડાસમાની જીતને રદ કરતો અગાઉ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. ચુડાસમાએ એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આજે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના તે ચુકાદા પર સ્ટે ઓર્ડર મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળતા હવે ભૂપેન્દ્રસિંહનું ધારાસભ્યપદ પણ હાલપૂરતું બચી ગયું છે અને અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી તેઓ ધારાસભ્ય પદે રહી શકશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ધોળકા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ પણ કર્યું છે. ભૂપેન્દ્ર સિંહે ટ્વિટમાં લખ્યું કે સત્યમેવ જયતે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ ભૂપેન્દ્ર સિંહની જીતને પડકારતી અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે આ ચૂંટણીને રદ કરવાનો આદેશ આપતા ચૂડાસમાને મોટો ફટકો પડ્યો હતો. જોકે, હવે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દેતા ભુપેન્દ્રસિંહ અને ભાજપ માટે મોટી રાહત થઈ ગઈ છે. આ કેસમાં કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે કરેલી અરજી પર બે વર્ષ ઉપરાંત ચાલેલી સુનાવણી બાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular