Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratભવનાથ મંદિર વિવાદ, સરકડીયા હનુમાન મંદિરના મહંત આવ્યા મેદાને

ભવનાથ મંદિર વિવાદ, સરકડીયા હનુમાન મંદિરના મહંત આવ્યા મેદાને

ગિરનાર મંદિરના મહંત તનસુખ ગીરીબાપુના બાદ તેની ગાદી અને ભવનાથ મંદિરના મહંતનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં મહેશગીરીબાપુની સાથે હવે ગિરનાર વૈષ્ણવ વિરકત મંડળના ઉપાધ્યક્ષ મેદાનમાં આવ્યા છે. ભવનાથ ગિરનાર મંડળના સાધુઓ ધર્મને ધંધો બનાવી દીધો છે તેમજ અધિકારીને પદાધિકારીઓની ચમચાગીરી કરીને શું ફાયદો થતો હશે તેવા આક્ષેપો પણ કર્યા છે. ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળના ઉપાધ્યક્ષ અને સરખડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુએ પણ હરિગિરિ બાપુ પણ આક્ષેપો મુક્યા હતા.

હરિગિરિ બાપુ છેલ્લા દસ બાર વર્ષથી વિવાદોમાં આવે છે તેઓ ભવનાથમાં ગમે તે જગ્યા ઉપર લખાણ કરાવી અને ગુંડાઓને મોકલીને ડરાવે ધમકાવે છે. તેવા આક્ષેપો સરકડીયા હનુમાન મંદિરના મહંત દ્વારા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાધુઓને પૈસાની લાલચ ન હોવી જોઈએ પરંતુ જો કોઈ સાધુ પૈસા આપીને મહંત બનતા હોય તેવી સાધુતા શું કામની? ઉપરાંત તેઓએ આ સમગ્ર મામલાને લઈને તટસ્થ તપાસ કરવા માટે પણ માંગણી કરી છે. ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળના ઉપાધ્યક્ષ અને સરખડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુએ જણાવ્યું હતું કે, હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે. તેમાં મહેશ ગીરીબાપુ જે બોલી રહ્યા છે કે કરી રહ્યા છે અને પુરાવા આપી રહ્યા છે તેમાં અમે સૌ સાધુ-સંતો સાથે છીએ. હરીગીરી બાપુએ એક લેટરપેડ પર 8 કરોડ રૂપિયાનો વહીવટ થયાનો ખુલાસો કર્યો છે. ત્યારે ધર્મ સત્તા નીચે રાજ સત્તા આવે છે. અમે લોકો સાધુ સંતો છીએ અને મંદિરની પૂજા કરીએ છીએ. સાધુ સંતો દાન ધર્માદો લે છે અને ધાર્મિક જગ્યાનો વિકાસ કરીએ છીએ. ત્યારે લેટર પેડમાં જે રાજકીય પાર્ટીને પૈસા આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે તે જરા પણ યોગ્ય નથી. એમાં પણ ખાસ સાધુ-સંતો ને રૂપિયા આપવામાં આવ્યા છે તેની નીંદનીય બાબત છે.

અગાઉ ભવનાથ મહંત તરીકે રમેશગીરી બાપુ ની નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ તનસુખ ગીરીબાપુને મહંત બનાવવામાં આવ્યા હતા. પરંતુ હરીગીરી બાપુએ તનસુખ ગીરીબાપૂની જગ્યાએ શૈલજા દેવીને બેસાડ્યા હતા. અને ત્યારબાદ જયશ્રીકાનંદને ભવનાથ મહંત તરીકે નિમણૂક કરી હતી જેમાં પણ પૈસાનો વહીવટ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં કરોડો રૂપિયાનો વહીવટ કરી હરિગીરી પોતે ભવનાથના મોહન તરીકે બેસી ગયા છે. ત્યારે ભવનાથ મંદિર કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી ધર્મનું દેવસ્થાન છે. આવું ક્યારેય પણ થવું ન જોઈએ અને જો આવું બનતું હોય તો તંત્રએ યોગ્ય કપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular