Thursday, July 3, 2025
Google search engine
HomeNewsGujaratદિવ્યાંગ પારિતોષિક માટે ૩૦ નવેમ્બર પહેલાં અરજી કરી શકાશે

દિવ્યાંગ પારિતોષિક માટે ૩૦ નવેમ્બર પહેલાં અરજી કરી શકાશે

અમદાવાદઃ જિલ્લાની મદદનીશ નિયામક રોજગાર કચેરીના રોજગાર અધિકારી જણાવે છે કે દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૩ની નીચે દર્શાવેલી કેટેગરીમાં રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મગાવવામાં આવે છે, જેમાં

  • શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ- સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ.
  • દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા
  • દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ

દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો રોજગારની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in પરથી અથવા મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, બ્લોક નં-એ-બી, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદથી વિનામૂલ્યે મેળવી શકાશે.

આ અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, છેલ્લાં ત્રણ માસની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, દિવ્યાંગતા દર્શાવતા પોસ્ટકાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવા પડશે. આ પારિતોષિક માટે નોકરીદાતા તેમ જ પ્લેસમેન્ટ ઓફિસરોએ પણ ફોર્મમાં દર્શાવેલી કોલમ મુજબની પૂરેપૂરી વિગતો જણાવવી તેમ જ તેને સંબંધિત જરૂરી બિડાણો અચૂક સામેલ કરવાના રહેશે.

આ ભરેલા અરજીપત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, બ્લોક નં-એ-બી, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ ખાતે મોડામાં મોડા ૩૦ નવેમ્બર સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય એ રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે.

અધૂરી વિગતવાળી કે નિયત સમયમર્યાદા બાદની આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં. વધુ માહિતી માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, બ્લોક નં.-એ-બી, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદનો સંપર્ક સાધવા નાગરિકોને વિનંતી છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular