Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsGujaratગરમીથી બચવાનો AMCનો એક્શન પ્લાન ફેલ?

ગરમીથી બચવાનો AMCનો એક્શન પ્લાન ફેલ?

રાજ્યમાં ગરમીએ પાછલા 7 વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે આગામી પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા આકાશ માંથી અગન ગોળા વરસવાની આગાહી કરવામાં આવી છે.

આ વચ્ચે અમદાવાદમાં AMC દ્વારા ગરમીને પહોંચી વળવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદના ચાર રસ્તાઓ પર મૂકવામાં આવેલ સ્પ્રીંકલર સિસ્ટમ મુકવામાં આવી હતી. સ્પ્રીંકલર સિસ્ટમ બંધ થતા પાયલોટ પ્રોજેક્ટ ફેલ થયો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. સ્પ્રીંકલર સિસ્ટમનો પ્લાન ફેલ થતા શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે.સ્પ્રીંકલર સિસ્ટમમાં પાણીની મોટર અને પાણીના ડ્રમ ગાયબ થઈ જતા અધિકારીઓ પણ ચિંતામાં મૂકયા છે

છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં 44 ડિગ્રી જેટલું તાપમાન રહે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન અંતર્ગત બીટ ધ હીટ હેઠળ નાગરિકોને ગરમીમાંથી રાહત મળે તેના માટે શહેરમાં આવેલા ચાર રસ્તા ઉપર વોટર સ્પ્રીંકલર લગાવ્યા હતા. કાંકરિયા, પુષ્પકુંજ ચાર રસ્તા, શાહલમ ચાર રસ્તા અને મણીનગર આવકાર હોલ ચાર રસ્તા એમ ચાર જગ્યાએ લગાવેલા વોટર સ્પ્રીંકલર બંધ હાલતમાં છે.

નોંધનીય છે  કે સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર ચાર વોટર સ્પ્રીંકલર લગાવવામાં આવ્યા હતા તેમાં મણીનગર અને પુષ્પકુંજ ચાર રસ્તા ઉપર બપોરના સમયે ટ્રાફિક પોલીસ દ્વારા જે ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આ સ્પ્રીંકલર બંધ કરવામાં આવ્યા છે.જ્યારે શાહઆલમ વિસ્તારમાં વોટર સ્પ્રીંકલર માટે જે મોટર લગાવવામાં આવી હતી જે બેથી ત્રણ વખત ચોરાય જવાની ઘટના બની હતી. જેથી ત્યારે સુવિધા ઠપ પડેલી જોવા મળી રહી છે. ત્યારે હવે અમદાવાદીઓનો એક જ પ્રશ્ન છે કે અમદાવાદમાં AMCનો હિટ એક્શન પ્લાન ફરી ફેલ કે શું ?

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular