Tuesday, September 2, 2025
Google search engine
HomeNewsGujaratભારત-પાકિસ્તાન મેચઃ અમદાવાદમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

ભારત-પાકિસ્તાન મેચઃ અમદાવાદમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ-2023માં બહુપ્રતીક્ષિત મુકાબલો થવાનો છે. આ મેચ વખતે આતંકવાદી હુમલો કરવાની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને અઠવાડિયા પૂર્વે ઈમેલ મારફત એક ધમકી પણ મળી હતી એટલે મોદી સ્ટેડિયમમાં તથા તેની આસપાસના પરિસરમાં સુરક્ષાની અત્યંત કડક વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ટીમના ખેલાડીઓને જે હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો છે તેની બહાર પણ સલામતી બંદોબસ્ત ખૂબ કડક બનાવવામાં આવ્યો છે.

અમદાવાદ એરપોર્ટ તરફથી પણ વિમાનપ્રવાસીઓ માટે ખાસ સૂચના ઈશ્યૂ કરવામાં આવી છે. તેણે જણાવ્યું છે કે, વર્લ્ડ કપ મેચ હોવાને લીધે અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓ તથા મહાનુભાવોની અવરજવર વધારે રહે એવી ધારણા છે. પ્રવાસીઓએ એમની સફર સરળતાપૂર્વકની બની રહે એ માટે એમનો પ્રવાસ પ્લાન વહેલો બનાવવો અને એરપોર્ટ ખાતે વહેલાસર પહોંચી જવું. સુરક્ષા પ્રક્રિયા માટે અતિરિક્ત સમય આપવા માટે તૈયાર રહેવું.

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે કહ્યું છે કે, મેચને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમની અંદર અને બહાર 7,000 પોલીસજવાનોનું દળ તૈનાત રહેશે. તદુપરાંત હોમગાર્ડ્સ જવાનોને પણ ગોઠવવામાં આવશે. વધુમાં, સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એડીઆરએફ) અને નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના જવાનોને પણ તૈનાત કરવામાં આવશે. નેશનલ સિક્યુરીટી ગાર્ડ્સ (એનએસજી) બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, એનએસજી હિટ ટીમ અને એન્ટી-ડ્રોન ટીમ પણ તૈનાત કરાશે. 9 બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પહેરો ભરશે. તે ઉપરાંત સ્નિફર ડોગ્સની પણ મદદ લેવામાં આવશે. મેચ દરમિયાન સ્પેશિયલ ટેથર્ડ ડ્રોનની મદદ સ્ડેયિમમાં હાજર રહેનાર 1.30 લાખ જેટલા લોકોની તમામ ગતિવિધિઓ અને સ્ટેડિયમ ફરતે 5 કિ.મી.ના વિસ્તારમાં થતી હરકત, ગતિવિધિ, હિલચાલ પર નજર રાખવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular