Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratવાહ રે, રણછોડરાય તારી લીલા! ભીક્ષુકે જમાડ્યા ભૂદેવોને!

વાહ રે, રણછોડરાય તારી લીલા! ભીક્ષુકે જમાડ્યા ભૂદેવોને!

અમદાવાદઃ ડાકોરમાં રણછોડરાય મંદિરમાં છેલ્લા 45 વર્ષથી ભીખ માંગીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવનારા એક ભીખારીએ ડાકોરના 2500 જેટલા બ્રાહ્મણોને ભોજન કરાવ્યું હતું. એક ભીક્ષુક દ્વારા કરવામાં આવેલા આ કર્મને જોઈને લોકો અચંબિત બની ગયા હતા. આ સૂરદાસ ભીખારીનું નામ ભગવાનદાસ શંકરલાલ જોશી છે. તેઓ સવારે ચાર વાગ્યાની મંગળા આરતીની સાથે જ ડાકોર મંદીરના દરવાજા પર પહોંચી જાય છે. અલગ-અલગ પ્રકારના ભજનો ગાય છે. આ મંદીરના દરવાજા પર જ તેઓ ભીખ માંગે છે. તેઓ અહીંયાના ગોપાલપુરાના એક મકાનમાં ભાડે રહે છે. તેમણે ડાકોરના બ્રાહ્મણોને સાર્વજનિક રુપે આમંત્રિત કર્યા હતા.

જીવનના છેલ્લા પડાવ પર લગભગ પહોંચી ગયેલા ભગવાનદાસે જણાવ્યું કે હું 45 વર્ષથી ડાકોરમાં રહું છું. રણછોડ રાયના મંદીરમાં ભીખ માંગીને મેં જે ભેગુ કર્યું છે તેમનું તર્પણ તો તેમને જ કરવું પડશે.ડાકોરના બ્રાહ્મણોના ત્યાં મેં વિવિધ પ્રસંગોમાં ભોજન કર્યું છે. મેં આખી જીંદગી જે લોકોનું ખાધુ છે તેમને મારે ક્યારેક તો ખવડાવવું જોઈએ. મેં ભીક્ષા માંગીને જેકંઈ પણ એકત્ર કર્યું છે તે સમાજનું જ છે. મારે આવતા જન્મ માટે પરોપકાર કરવો જોઈએ.

આ વિચાર મનમાં આવતા જ મેં ડાકોરના ટાવર ચોકમાં બ્રાહ્મણોને આમંત્રિત કરતું એક સાર્વજનિક સૂચના બોર્ડ લગાવી દીધું હતું. મેં અહીંયાના પથિક આશ્રમની આંબાવાડીમાં ડાકોરના બ્રાહ્મણોને દાળ, ભાત, શાક અને લાડુનું જમણ કરાવ્યું. આ બ્રહ્મ ચોર્યાસીમાં ત્રિવેદી, મેવાડા, તપોધન, શ્રીગોણ, તેમજ ખોડાવાડ જેવા ચોર્યાસી જાતિના બ્રાહ્મણોના બ્રહ્મ ભોજ માટે આવે છે. એટલા માટે આને બ્રહ્મચોર્યાસી કહેવામાં આવે છે. મને સંતોષ છે કે અહીંયા આશરે 2500 બ્રાહ્મણોએ ભોજન કર્યું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular