Friday, July 18, 2025
Google search engine
HomeNewsGujaratલોકડાઉનમાં ગરીબો માટે અહીં અવિરત ચાલે છે ભોજનનો સેવાયજ્ઞ

લોકડાઉનમાં ગરીબો માટે અહીં અવિરત ચાલે છે ભોજનનો સેવાયજ્ઞ

અમદાવાદ:  કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે જો કે, ભારતની સ્થિતિ અન્ય દેશોની સરખામણીએ નિયંત્રણ હેઠળ છે. આપણો દેશ ગ્રામીણ વિસ્તારોનો બનેલો છે જેથી અનેક લોકો નોકરી, ધંધા અને રોજગારી અર્થે શહેરો તરફ સ્થળાંતર કરે છે. વર્તમાન સંજોગોમાં લોકડાઉન થતાં શહેરોમાં ઉદ્યોગ-ધંધાઓને ફરજિયાત બંધ રાખવાની ફરજ પડી છે. એવા સમયે ગુજરાતના અનેક નાના-મોટા શહેરોમાં રોજગારી અર્થે અન્ય રાજ્યમાંથી આવેલા અને સ્થાયી થયેલા શ્રમિક પરિવારોને ભોજન અને રાશનની મુશ્કેલીઓ પડવા લાગી. ત્યારે સરકારની સાથે-સાથે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાઓ તથા સેવાભાવી વ્યક્તિઓ સ્વખર્ચે ભોજનની વ્યવસ્થા કરીને લોકોની જઠરાગ્ની ઠારવાનું સેવાયજ્ઞ અવિરતપણે કરી રહ્યા છે.

અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આસપાસ ચાલતા અનેક કારખાનાઓમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો, ગરીબો, ઘરવિહોણા, નિરાધાર અને રોજેરોજનું રળીને જીવન ગુજારતા શ્રમિકો, ગામના જરૂરિયાતમંદ લોકોને બંને ટાઇમ ભોજન મળી રહે તેવું બીડું ઝડપ્યું છે ગામના સેવાભાવી પ્રવીણભાઈ વાઘેલાએ. તેઓ લોકડાઉનના પ્રથમ દિવસથી જ વિચારતા હતા કે મારે ગરીબ અને પરપ્રાંતિય શ્રમિકો માટે કંઈ કરી છૂટવું છે, અને ગામ લોકોના અને સામાજિક આગેવાનોનાં માર્ગદર્શન અને સાથ-સહકારથી તેમણે ભોજનનો સેવાયજ્ઞ આરંભ્યો.

છેલ્લા ૩૦ દિવસથી ચાલતા અવિરત આ ભોજનયજ્ઞનો લાભ અંદાજે ૭૦૦ થી ૧૦૦૦ લોકો સવાર-સાંજ લઈ રહ્યા છે. પ્રવીણભાઈ વાઘેલાના મિત્રવર્તુળના ૧૫ લોકોના સહયોગથી દરરોજ અલગ-અલગ જાતની રસોઈ જેવી કે રોટલા, રોટલી, શાક, ખીચડી-કઢી, લાડુ વગેરે જેવી સ્વાદીષ્ટ અને આરોગ્યપ્રદ રસોઈ બનાવીને લોકોને પીરસવામાં આવી રહી છે.

માનવ સેવાનું ઉત્તમ કામ કરનાર પ્રવીણ ભાઈ વાઘેલા જણાવ છેે કે, “ગામના જ કેટલાય સેવાભાવી લોકો સતત મારી પડખે રહીને ખડે પગે સેવાઓ બજાવી રહ્યા છે. તેમના બધાયના સાથ સહકાર વિના આ સેવા કાર્ય શરૂ કરવું મારા માટે મુશ્કેલ બની ગયું હોત પણ આજે દરરોજ અલગ અલગ દાતાઓનો આર્થિક સહયોગ મળવાથી ભોજનની સુવિધા માટે કયારેય ચિંતા કરવી પડી નથી.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular