Saturday, June 7, 2025
Google search engine
HomeNewsGujaratમહુવા માર્કેટ યાર્ડમાં દિવાળી વેકેશનની જાહેરાત

મહુવા માર્કેટ યાર્ડમાં દિવાળી વેકેશનની જાહેરાત

ભાવનગર: મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. નોંધનીય છે કે 30ઓક્ટોબર થી 05નવેમ્બરના મંગળવાર સુધી તમામ કામકાજ બંધ રહેશે. દિવાળી વેકેશન બાદ 06 નવેમ્બરથી રાબેતા મુજબ તમામ કામગીરી શરૂ કરવામાં આવશે. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી, કપાસ, ચણા, તુવેર, તલ કાળા તેમજ સફેદ જેવી વિવિધ જણસીની આવક નોંધાઈ રહી છે.

મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વી.પી. પંચાણીએ જણાવ્યું હતું કે, “આગામી તારીખ.30/10/2024 ને બુધવાર ધનતેરસથી તારીખ 05/11/2024 મંગળવાર સુધી દિવાળીના તહેવારોને નિમિત્તે મહુવા માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. જેનું ખેડૂત મિત્રોએ તેમજ કમિશન એજન્ટ મિત્રોએ નોંધ લેવા વિનંતી છે. તેમજ આગામી તારીખ 06/11/2024 બુધવાર લાભ પાંચમથી માર્કેટિંગ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.” આ સાથે જ જણસીની નવી આવકોને તારીખ 05/11/2024 મંગળવારના રોજ સાંજના 4 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ તારીખ 06/11/2024 લાભ પાંચમના દિવસે સવારે 9:30 કલાકે નૂતન વર્ષનું સ્નેહમિલન રાખવામાં આવેલ છે અને તેમાં ખેડૂત ભાઈઓ, વેપારીઓ, મહેતાજી, મજૂરોને ઉપસ્થિત રહેવા માટે પણ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular