Thursday, July 17, 2025
Google search engine
HomeNewsBusinessગૌતમ અદાણી NDTVમાં 26% હિસ્સો ખરીદશે

ગૌતમ અદાણી NDTVમાં 26% હિસ્સો ખરીદશે

અમદાવાદઃ અદાણી ગ્રુપે આજે કહ્યું છે કે એનું મીડિયા એકમ ન્યૂ ડેલ્હી ટેલિવીઝન લિમિટેડ કંપનીમાં પરોક્ષ રીતે 29.18 ટકા હિસ્સો ખરીદશે તથા મીડિયા હાઉસમાં બીજો 26 ટકા હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર લાવશે.

આમ, અદાણી ગ્રુપે એનડીટીવીમાં શેરદીઠ રૂ. 294ના ભાવે 26 ટકા હિસ્સો ખરીદવા માટે રૂ. 493 કરોડની ઓપન ઓફર મૂકી છે. મીડિયા કંપનીનો શેર આજે પાંચ ટકાના ઉછાળા સાથે રૂ.376.55ના ભાવે બંધ રહ્યો હતો. અદાણી ગ્રુપની મીડિયા કંપની એએમજી મીડિયા નેટવર્ક્સ લિમિટેડ (એએમએનએલ) મીડિયા કંપની એનડીટીવીમાં પરોક્ષ રીતે 29.18 ટકા હિસ્સો હસ્તગત કરશે.

એએમજી મિડીઆ નેટવર્કસ લિ.ની સંપૂર્ણ માલિકીની વિશ્વપ્રધાન કમર્શિયલ પ્રા.લિ. આરઆરપીઆર હોલ્ડિંગ પ્રા.લિ. (RRPR)ના વોરંટ ધરાવે છે જેથી તે RRPRમાં ૯૯.૯૯% હિસ્સો રૂપાંતરિત કરવા માટે હકદાર છે. વિશ્વપ્રધાન કમર્શિયલ પ્રા.લિ. (VCPL)એ આરઆરપીઆરમાં ૯૯.૫% હિસ્સો હસ્તગત કરવા માટે વોરંટનો ઉપયોગ કર્યો છે. આ હસ્તાંતરણના પરિણામે VCPL RRPR પર અંકુશ મેળવશે.

એનડીટીવી (NDTV, BSE: 532529)ની પ્રમોટર ગ્રૂપ કંપની આરઆરપીઆર છે અને એનડીટીવીમાં ૨૯.૧૮% હિસ્સો ધરાવે છે. વીસીપીએલ એએમજી મીડિયા નેટવર્ક લિ.અને અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. (સમૂહમાં કામ કરતી કંપની) સાથે એનડીટીવીમાં ૨૬% હિસ્સો હસ્તગત કરવા માટે સેબીના (શેર અને ટેકઓવર માટેના સબસ્ટેન્શિઅલ એક્વીઝીશન) ૨૦૧૧ના નિયમનોની જરુરિયાતની આપૂર્તિ સાથે ખુલ્લી ઓફર તરતી મૂકશે.

વિશ્વસનીય સમાચારો પ્રસારીત કરવા માટેનો પાયો નાખનાર એનડીટીવી ત્રણ દાયકાથી વધુ સમયથી સમાચાર જગતમાં એક અગ્રણી મીડિયા હાઉસ તરીકે પ્રસ્થાપિત થયું છે. કંપની ત્રણ રાષ્ટ્રીય ન્યુઝ ચેનલનું સંચાલન કરે છે – એનડીટીવી 24×7, એનડીટીવી India અને NDTV પ્રોફિટ. તે મજબૂત ઑનલાઇન વર્ચસ્વ પણ ધરાવે છે અને વિવિધ પ્લેટફોર્મ પર ૩૫ મિલિયનથી વધુ ફોલોઅર્સ સાથે સોશિયલ મીડિયા પર સૌથી વધુ અનુસરવામાં આવતા સમાચાર હેન્ડલ્સ પૈકીનુ એક મીડિયા હાઉસ છે.

નાણાાકીય વર્ષ-૨૨માં NDTV એ રુ.૧૨૩ કરોડના EBITDA સાથે રુ. ૪૨૧ કરોડની આવક અને નગણ્ય કરજ સાથે રુ.૮૫ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. 

એએમજી મિડીઆ નેટવર્કસ લિ.ના મુખ્ય કારોબારી અધિકારી સંજય પુગલિઆએ જણાવ્યું કે સમાચારના સમગ્ર પ્લેટફોર્મ ઉપર આધુનિક સમયના માધ્યમનું લક્ષ્ય હાંસલ કરવાની કેડી કંડારવા તરફની કંપનીની સફરનો માર્ગ ખુલ્લો કરતું આ હસ્તાંતરણ એક મહત્વનું સીમાચિહ્ન છે. ભારતીય નાગરિકો, ગ્રાહકો અને ભારતમાં રુચિ ધરાવતા લોકોને માહિતી અને જ્ઞાન સાથે સશક્ત બનાવવાનો એએમએનએલનો પ્રયાસ છે. સમાચારોમાં તેના અગ્રણી સ્થાન અને પેેઢીઓ તેમજ ભૌગોલિક ક્ષેત્રોમાં તેની મજબૂત અને વૈવિધ્યસભર પહોંચ સાથે અમારા વિઝનને પહોંચાડવા માટે એનડીટીવી સૌથી યોગ્ય પ્રસારણ અને ડિજિટલ પ્લેટફોર્મ છે. અમે સમાચારો પૂરા પાડવામાં એનડીટીવીના નેતૃત્વને મજબૂત કરવા આતુર છીએ.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular