Saturday, June 14, 2025
Google search engine
HomeNewsGujarat'વસુધૈવ કુટુંબકમ્', G-20ની થીમ સાથેની ટ્રક આકર્ષણનું કેન્દ્ર

‘વસુધૈવ કુટુંબકમ્’, G-20ની થીમ સાથેની ટ્રક આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદઃ 146મી રથયાત્રામાં જુદી-જુદી થીમ,  વેશભૂષા, મંદિરો,  કંપનીઓની  જાહેરાતો, પ્રસાદના અને અમદાવાદને નશામુક્ત બનાવવાના મેસેજ સાથેના ટ્રકો જોવા મળ્યા હતા, પરંતુ આ બધીય ટ્રકોમાં પાલડીના એક ડેકરેટર્સની ટ્રક આકર્ષણનું કેન્દ્ર હતી. જેમાં G-20ની થીમ ટ્રક પર તૈયાર કરવામાં આવી હતી. હાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

આ સાથે દુનિયા એક પરિવાર છે. એ સંદેશો ‘વસુધૈવ કુટુંબકમ્’ ના નારા સાથે જગતને જોડવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદ શહેરની રથયાત્રાનું જીવંત પ્રસારણ થતું હોય છે. હાલ દેશમાં G-20 એક ચર્ચાનો વિષય છે. ત્યારે રથયાત્રાની એક ટ્રકમાં ભારત, રશિયા, અમેરિકા, જાપાન, ઈન્ડોનેશિયા, ઇટાલી, ઓસ્ટ્રેલિયા,  કેનેડા, ફ્રાન્સ અને યુકે જેવા દેશોના વડા પ્રધાનો સાથે નરેન્દ્ર મોદીનો મૈત્રી ભાવ દર્શાવતા કટ આઉટ અને વિવિધ દેશોના ફ્લેગ તૈયાર કરી મૂકવામાં આવ્યા હતા.

આ ધાર્મિક રથયાત્રામાં દેશોને જોડવાનો વિચાર અને વસુધૈવ કુટુંબકમની પ્રસ્તુતિ દર્શાવતી પાલડીની ટ્રક તમામ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular