Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratશિક્ષણથી વંચિત બાળકોની મદદ માટે સમારા આર્ટ ગેલેરીમાં યોજાશે પેઇન્ટિંગ એક્ઝિબિસન

શિક્ષણથી વંચિત બાળકોની મદદ માટે સમારા આર્ટ ગેલેરીમાં યોજાશે પેઇન્ટિંગ એક્ઝિબિસન

શિક્ષણ આજે પાયાની જરૂરિયાત છે. છતા પણ એવા અનેક બાળકો છે જે હજુ પણ શિક્ષણથી વંચિત છે. આવા બાળકોને સહાય ફાઉન્ડેશ દ્ધારા શિક્ષીત કરવાની નેમ લેવામાં આવી છે. આ અંતર્ગત નેચર થેરાપી ફાઉન્ડેશનના કામીની પટેલે સહાય એનજીઓના બાળકોને મદદ કરવાના હેતુથી એક એક્ઝિબિશન કાર્યક્રમનું આયોજન કર્યુ છે.

#NTartseries Exhibit 1.0 (આર્ટ સિરીઝ 1.0 પ્રદર્શન)નું આયોજન આગીમી તારીખ 27 જૂન અને 28 જૂનને સોનલ અંબાણીની સમારા આર્ટ ગેલેરીમાં યોજાશે. મંગળવાર અને બુધવાર સવારે 10.30થી સાંજે 7 વાગ્યા સુધી આ પ્રદર્શન ચાલુ રહેશે. આ એક્ઝિબિશનમાં વિવધ કલાકારો અને સહાય ફાઉન્ડેશનના બાળકો દ્ધારા બનાવવામાં આવેલા આર્ટ વર્ક(પેઇન્ટિંગ) વેચાણ માટે મુકવામાં આવશે. આ ફંડનો ઉપયોગ સહાયના બાકોના શિક્ષણ માટે કરવામાં આવશે.

કલાકારો દ્ધારા બનાવામાં આવેલા ચિત્રોની કિંમત રૂપિયા 2000થી શરૂ થશે. આ એક્ઝિબિશનમાં એવા પેઇન્ટિંગને વેચાણ માટે મુકવામાં આવશે જેને ઘર, ઓફિસમાં સુશોભિત કરી શકાશે. આ વીશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા નેચર થેરાપીના ફાઉન્ડર કામિની પટેલ કહે છે: સહાય ફાઉન્ડેશન એવા બાળકોને મદદ કરે છે જે શિક્ષણથી વંચિત છે. ‘સહાય’નો હેતુ બાળકોને માત્ર શિક્ષણ પુરુ પાડવાનો નથી. ‘સહાય’ શિક્ષણની સાથે બાળકોને ટ્યુટરની સુવિધા પણ પુરી પાડે છે. માત્ર સારી શાળામાં પ્રવેશ અપાવી દેવાથી બાળકો પ્રત્યેની ફરજ પુર્ણ નથી થતી. હકીકતમાં તો શિક્ષણથી વંચિત બાળકો જ્યારે સારી શાળામાં પ્રવેશ મેળવે છે ત્યાર પછી ત્યાંના વાતાવરણમાં સેટ થવામાં અને અભ્યાસ માટે સંર્પુણ સુવિધા પુરી પાડવાની જવાબદારી રહેલી છે.

સહાય ફાઉન્ડેશન વંચિત બાળકોની તમામ જરૂરિયાતને પ્રાથમિક્તા આપે છે. પેઇન્ટિંગ એક્ઝિબિશન દ્ધારા જે ભંડોળ આવશે તેનો તમામા ઉપયોગ બાળકોના શિક્ષણ માટે કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular