Saturday, June 14, 2025
Google search engine
HomeNewsGujaratગાંધીજીના જીવન અને ફિલોસોફી પર બનેલી ફિલ્મનું પ્રદર્શન યોજાયું

ગાંધીજીના જીવન અને ફિલોસોફી પર બનેલી ફિલ્મનું પ્રદર્શન યોજાયું

અમદાવાદ: ગાંધી પેનોરમા એ ગાંધીજીના જીવન અને ગાંધીજી પર આધારિત ફિલ્મ શો છે. આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન મુંબઈ સ્થિત કંપની ઈડિયન ઈન્ફોટેનમેન્ટ મીડિયા કોર્પોરેશન દ્વારા સમગ્ર ભારતમાં કરવામાં આવે છે. આજે, 12 ઓગસ્ટ 2024 ના રોજ અમદાવાદમાં આ શોનું પ્રદર્શન ગુજરાત સરકારના યુવા, રમતગમત અને સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજીત કરવામાં આવ્યું હતું. ગાંધી પેનોરમામાં વિશ્વભર માંથી આવેલ 40 ફિલ્મો માંથી અમુક ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. જેમાં ‘બાપુને કહા થા’, ‘મેકિંગ ઓફ મહાત્મા’, ‘મહાત્મા ગાંધી, અપની ગંદગી હમ નહીં તો સાફ કરેગા’, ‘અપરિગ્રહ’, ‘કપ ઓફ ટી’, ‘આઝાદી’, ‘અહિંસા’ વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ સાથે છે.

અમદાવાદની કેટલીક શાળાઓના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓએ મહાત્મા ગાંધી પર બનેલી ગાંધી પેનોરમાની આ ફિલ્મો જોઈ શીખી લીધી. અમે વિચારતા હતા કે કદાચ ગાંધીજી આજના ઝડપી જીવનમાં અપ્રસ્તુAત બની ગયા છે, પરંતુ અમારો વિચાર ખોટો સાબિત થયો. ગાંધી પેનોરમાના અધ્યક્ષ દેવેન્દ્ર ખંડેલવાલ કહે છે કે, “જ્યારે 15-15 વર્ષ પહેલાં ગાંધી પેનોરમાની કલ્પના કરવામાં આવી હતી, ત્યારે મુખ્ય બાબત એ હતી કે ગાંધીજીને ભૂલી રહેલી આજની યુવા પેઢીને ગાંધીજીનું જીવન અને ફિલોસોફી બતાવવી, ભારતીય સંસ્કૃતિ અને જીવનને ગેરમાર્ગે લઈ જવાથી બચાવાનો હતો.

અમારા છેલ્લા ગાંધી પેનોરમા ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું હતું. નીતિશ કુમાર, બિહારના મુખ્યમંત્રી, આસામ અને મધ્યપ્રદેશના માનનીય રાજ્યપાલો અને ઘણા મંત્રીઓ અને ગાંધીવાદી વિચારકો. અમદાવાદના આ ગાંધી પેનોરમાનું ઉદ્ઘાટન અમદાવાદના માનનીય મેયર પ્રતિભા બેન જૈન દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાનો ગાંધીવાદી વિચારક, પ્રકાશભાઈ શાહ અને જાણીતા ગાંધીવાદી સામાજિક કાર્યકર મંદા બેન પારેખ હતા. તમામ મુખ્ય મહેમાનોનું કપાસના હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમારંભના અધ્યક્ષ દેવેન્દ્ર ખંડેલવાલે મુખ્ય મહેમાનોને ગાંધીજીની એક વિશિષ્ટ પ્રતિમા અર્પણ કરી, જે પ્રખ્યાત શિલ્પકાર નિલેશ સોનાવણે દ્વારા બનાવવામાં આવી છે. આ કાર્યક્રમનું સંચાલન ગાંધી પેનોરમાના સેક્રેટરી કેતકી કાપડિયાએ કર્યું હતું અને ગાંધી પેનોરમાના ડાયરેક્ટર શ્રીવાસ નાયડુએ સન્માનિત મહેમાનો અને ઉપસ્થિત સેંકડો યુવાનો અને બાળકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular