Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત પર ઘેરાયા સંકટના વાદળ!

ગુજરાત પર ઘેરાયા સંકટના વાદળ!

ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ભારે ગરમી, બફારો અને ઉકાળાટની વચ્ચે હવે અચાનક વાતાવરણ બદલાયું છે. હવે આંધી, તોફાન, ભારે પવન અને વાવાઝોડાની આગાહી થઈ રહી છે. હવામાન નિષ્ણાત આંબાલાલની આગાહી પ્રમાણએ રાજ્યના ચાર જિલ્લામાં આગામી 3 દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટ્રોમની રહી શકે. ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે. અરબી સમુદ્ર પર થી પવન આવતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેથી પવનની ગતિ 25 થી 30 કિલોમીટર રહેવાની શક્યતા છે.

દેશમાં એક બાજુ ચોમાસાએ દસ્તરક આપી છે. સામાન્ય રીતે ચોમાસું સૌપ્રથમ કેરળમાં આવતું હોય છે. પણ આ વર્ષે રેમલ વાવાઝોડાને લઈને બંગાળી ખાડી તરફ મોનસુર એક્ટિવેટ જલ્દી થયું છે. જેની અસર ગુજરાત પર પણ જોવા મળી રહી છે. ત્યારે રેમલ વાવાઝોડાની જ અસરના પગલે સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જિલ્લામાં આવેલા દરિયા કિનારાના બીચ બંધ રહેશે. તારીખ 1 જૂનથી 7જૂન દરમિયાન તમામ બીચ બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત માછીમારોને પણ કડક સૂચન કરવામાં આવ્યા છે, કે દરિયો ખેડવા માટે ન જાય.

નોંધનીય છે કે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહેશ. તો તારીખ 15 જૂનના રાજ્યમાં મેઘરાજનું આગમાન થશે. આ સાથે હવામાન નિષ્ણાત આંબાલાસ પટેલની આગાહી પ્રામાણે આગામી 4 જૂનથી વરસાદ શરૂ થવાની શક્યતા સેવાય રહી છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular