Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત સાયન્સ કોંગ્રેસનું 34મું અધિવેશન ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયું

ગુજરાત સાયન્સ કોંગ્રેસનું 34મું અધિવેશન ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયું

મહેસાણા: ગુજરાત સાયન્સ એકેડમી દ્વારા દર વર્ષે યોજાતી ગુજરાત સાયન્સ કોંગ્રેસનું 34નું અધિવેશન આ વર્ષે ગણપત યુનિવર્સિટી ખાતે યોજાઈ ગયું. જેમાં દેશના વૈજ્ઞાનિકો અને રાજ્યના સાયન્સમાં અભ્યાસ કરતા તેમજ રીસર્ચ કરતા 500 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.

ધ વેલ્યુ ઓફ અવસ સાયન્સ એન્ડ ફ્યુચર વેલબીઈંગની સેન્ટ્રલ થીમ સાથે મળેલા આ અધિવેશનમાં સાયન્સ, એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના ક્ષેત્રે અભ્યાસ-સંશોધન કરતા કોલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તેમજી વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. અને 300 જેટલા પ્રોજેક્ટના પોસ્ટર્સ રજૂ થયા.

એફએનએ સેક્રેટરી ડીએઇ એન્ડ ચેરમેન એઇસીના પ્રો. કે.એન.વ્યાસે જણાવ્યું કે ઇનોવેશન કરવું હોય ત્યારે શોર્ટકટ રસ્તો નથી ચાલતો. ગમે તેટલી વાર ફેલ થશો પણ રસ્તો છોડવો નહીં. રસ્તો છોડી દેશો તો સફળ નહી થવાય. સ્ટાન્ડર્ડ લીવીંગ જરૂરી છે. આ પ્રસંગે ગુજરાત સાયન્સ કોંગ્રેસ દ્વારા અલગ અલગ ફિલ્ડમાં બેસ્ટ ટીચર્સ એવોર્ડ એનાયત કરી પ્રોત્સાહીત કરાયા હતા. તેમજ સાયન્સના અલગ અલગ વિષયમા પીએચડી કરનારા સંશોધકોના શ્રેષ્ઠ થીસીસને પણ પુરસ્કાર અપાયા હતાં. બીજી તરફ ગણપત યુનિવર્સિટી તથા નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ સેન્ટર (એનઆરડીસી) વચ્ચે એમઓયુ થયા હતા.

ગુજરાતના જાણીતા ન્યૂરોફિઝિશિયન ડો. સુધીર શાહે ધ આર્ટ એન્ડ સાયન્સ ઓફ હેપીનેસ ઉપર લેક્ચર આપ્યું હતું. જેમાં એમણે તમેજ તમારા સુખના સર્જક છો અને હેપીનેસ ઈઝ એ જર્ની એન્ડ નોટ ધી ડિસ્ટિનેશન જેવા સોનેરી સુત્રો આપી સુખી થવાનું સમગ્ર વિજ્ઞાન ખૂબ જ કલાત્મક રીતે-રસપ્રદ રીતે સમજાવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular