Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો 200મો જન્મોત્સવ ઊજવાયો

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો 200મો જન્મોત્સવ ઊજવાયો

મોરબીઃ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200મા જન્મોત્સવ-જ્ઞાન જ્યોતિ પર્વ અને સ્મરણોત્સવની ઉજવણીમાં ભાગ લેવા દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ટંકારા પધાર્યાં હતાં. રાષ્ટ્રપતિને રાજ્યપાલ અને મુખ્ય મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ઉષ્માભેર આવકાર આપ્યો હતો.

રાષ્ટ્રપતિએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન કુંડમાં આહુતિ અર્પણ કરી સમસ્ત જીવોનું કલ્યાણ થાય તેવી મંગલકામના વ્યક્ત કરી હતી. આ મંગળ અવસરે કન્યા ગુરુકુલ, વારાણસીના પ્રાધ્યાપકો તથા છાત્રાઓએ મહાનુભાવોએ વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા.

આ યજ્ઞમાં આહુતિ આપ્યા પછી રાષ્ટ્રપતિએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન-દર્શનને ઉજાગર કરતા પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી અને મહર્ષિના વિચારો અને સમાજ ઉત્થાનનાં કાર્યોથી પરિચિત થયાં હતાં. રાજ્યપાલે રાષ્ટ્રપતિ અને મુખ્ય મંત્રીને આ પ્રદર્શન ખંડની વિગતો આપી હતી.

ટંકારામાં ૧૫ એકરમાં નિર્માણ પામનારા જ્ઞાન જ્યોતિ તીર્થની પ્રતિકૃતિના માધ્યમથી રાજ્યપાલે આ તીર્થમાં નિર્મિત થનારા સંશોધન કેન્દ્ર, સ્કૂલ, પુસ્તકાલય, રમણીય પરિસર વગેરેની વિગતવાર જાણકારી આપી હતી.

આ પ્રદર્શન ખંડમાં રાષ્ટ્રનિર્માણ માટે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ ખેડેલા પ્રવાસને નકશાના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન પ્રસંગોને ચિત્રોમાં અને તેમની સાથે જોડાયેલાં ઐતિહાસિક સ્મૃતિ સ્થળોને પણ વિગતો સાથે પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના નારી શિક્ષા અને મહિલા સશક્તીકરણના વિચારો ઉપરાંત વેદોમાં રહેલા વિજ્ઞાન ઉપર પ્રકાશ ફેંકતા વિચારો વગેરે આ પ્રદર્શન ખંડમાં દર્શાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ આર્ય સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથેની સ્મૃતિ સમૂહ તસવીરમાં અંકિત કરાવી હતી.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular