Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratમદરેસાના સર્વે વચ્ચે અમદાવાદમાં આચાર્ય પર ટોળાનો હુમલો

મદરેસાના સર્વે વચ્ચે અમદાવાદમાં આચાર્ય પર ટોળાનો હુમલો

અમદાવાદ: શહેરમાં મદરેસાના સર્વેની કામગીરી દરમિયાન હુમલાની ઘટના સામે આવી છે. દરિયાપુરમાં આવેલા સુલતાન મહોલ્લામાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો હતો. આચાર્ય બાપુનગરની સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયમાં ફરજ બજાવે છે. શિક્ષણ વિભાગના આદેશને પગલે આચાર્ય સર્વે કરવા પહોંચ્યા હતા. આચાર્ય મદરેસા બંધ હોવાથી પુરાવારૂપે ફોટો લઈ રહ્યા હતા એ સમયે ટોળાએ આચાર્ય પર હુમલો કર્યો હતો. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી આજે ગુજરાતના તમામ મદરેસાઓમાં સરવે હાથ ધરવામાં આવ્યો છે. ઘટનાના પગલે અમદાવાદ શહેર DEO અને અન્ય આચાર્ય દરિયાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગુજરાત રાજ્યમાં અનેક મદરેસા ચાલે છે. જેમાંથી અનેકનું મેપિંગ થઈ ચૂક્યું છે, જ્યારે કેટલીક મદરેસાનું મેપિંગ થયું નથી. આથી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને સમન્સ પાઠવ્યો છે. એમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને સર્વે કરવા સૂચના આપવામાં આવી છે. એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મદરેસામાં અભ્યાસ કરતાં બાળકોએ સામાન્ય શિક્ષણ લેવું આવશ્યક છે, આથી મદરેસામાં અભ્યાસ કરતાં બાળકો સામાન્ય શિક્ષણ લે છે કે નહીં એનો સરવે કરવા સૂચન કરવામાં આવ્યું છે, જેથી આજથી તમામ મદરેસામાં શિક્ષણ વિભાગ દ્વારા સરવે હાથ ધરવામાં આવ્યો છે. એમાં શિક્ષકોનો કેટલો પગાર, સ્ટુડન્ટ્સ અન્ય સ્કૂલોમાં ભણે છે કે કેમ, બાળકોની ઉંમર સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંગેનો રિપોર્ટ તૈયાર કરી શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે ધાર્મિક શિક્ષણની સાથે બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવું એ અંગે રાજ્ય સરકાર ચિંતિત છે.રાજ્યમાં અંદાજે 1200 મદરેસા છે, જ્યારે અમદાવાદ શહેરમાં 175 અને ગ્રામ્યમાં 30 મદરેસા છે. તમામ મદરેસામાં જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા તપાસ કરાશે. તપાસ બાદ અધિકારીઓ ઓનલાઈન રિપોર્ટ ફાઇલ કરશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular