Monday, June 9, 2025
Google search engine
HomeNewsGujaratસરદાર પટેલની જન્મજયંતી, ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસનો પુષ્પાંજલી કાર્યક્રમ

સરદાર પટેલની જન્મજયંતી, ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસનો પુષ્પાંજલી કાર્યક્રમ

અમદાવાદ: અખંડ ભારતના ઘડવૈયા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી તથા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધીના યોગદાન માટે પુષ્પાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિતિ કાર્યકરોએ ‘જબ તક સૂરજ ચાંદ રહેગા સરદાર સાહેબ કા નામ રહેગા’, સરદાર સાહેબ અમર રહો, ‘જબ તક સૂરજ ચાંદ રહેગા, શ્રીમતી ઈન્દિરા ગાંધીજી અમર રહોના બુલંદ નારાથી વંદન-નમન કર્યા હતા. પુષ્પાંજલી કાર્યક્રમમાં અમદાવાદ શહેર કોંગ્રસના પ્રભારી, પૂર્વ મંત્રી બિમલ શાહ, ધારાસભ્ય ઇમરાન ખેડવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, પ્રદેશ મીડિયા કન્વીનર અને પ્રવકતા ડૉ.મનીષ દોશી, અશોક પંજાબી, ઇકબાલ શેખ, રત્નાબેન વોરા, કૉર્પોરેટર હાજી બેગ મિર્ઝા, સૂરજ મંગલકર, મુબીન કાદરી, જુનેદ શેખ, હેતાબેન પરીખ સહિત શહેરના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular