Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત બોર્ડનું ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

ગુજરાત બોર્ડનું ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

આજે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ 73.27 % ટકા જાહેર થયું છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 73.27 ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 73.27 ટકા આવ્યું છે. જે ગત વર્ષની સરખામણીએ 13 ટકા ઓછું છે. આ વર્ષે 311 સ્કૂલોનું 100 ટકા પરિણામઆવ્યું છે. જ્યારે 44 શાળાઓમાં 10 ટકા કરતા ઓછું પરિણામ આવ્યું છે.

આ રીતે પરિણામ કરો ચેક

વિદ્યાર્થીઓ આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.orgની ઓફિશયલ વેબસાઈટ પર જોઈ શકે છે. પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર, જન્મ તારીખ સહિત અન્ય વિગતો આ વેબસાઈટમાં નાંખીને પોતાનું પરિણામ જોઇ શકે છે.તેમજ વિદ્યાર્થીઓ વોટ્સએપ નં. 63573 00971 પર સીટ નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકે છે.

છોકરા કરતા છોકરીઓએ મેદાન માર્યુ

આ વર્ષે 3.49 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા, વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ રહ્યું છે આમ આ પરિક્ષામાં છોકરા કરતા છોકરીઓએ મેદાન માર્યુ છે. અને 13.36 ટકા વધુ પરિણામ પ્રાપ્ત કર્યું છે.

સૌથી વધુ આ જિલ્લાનું પરિણામ

આ વર્ષે કચ્છ જિલ્લો 84.59 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. તો દાહોદ જિલ્લો 54.68 ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે તેમજ દેવગઢ બારિયા કેન્દ્ર 26.28 ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular