Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratગૃહિણીઓ માટે સારા સમાચાર, સિંગતેલના ભાવમાં થયો ઘટાડો

ગૃહિણીઓ માટે સારા સમાચાર, સિંગતેલના ભાવમાં થયો ઘટાડો

રાજ્યની ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. જેમાં સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે રુપિયા 40નો ઘટાડો થયો છે. તેમાં ડબ્બાનો ભાવ રૂપિયા 2625થી ઘટી રૂપિયા 2585 સુધી પહોંચ્યો છે. જેમાં દિવાળી પહેલા સિંગતેલનો ભાવ 2700 રુપિયા હતો.

ગત 10 જ દિવસમાં ભાવમાં 90 રુપિયાનો ઘટાડો થયો છે. દિવાળી બાદ તરત જ સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે ખૂલતા બજારે સિંગતેલના ભાવમાં ઘટાડો ગૃહિણીઓને ખુશ કરી દેશે. સિંગતેલનો ડબ્બો 2625 થી ઘટીને 2585 સુધી પહોંચ્યો છે. જોકે, વેપારીઓનું કહેવું છે કે, સીંગતેલના ભાવમાં હજુ ઘટાડો થવાનો અંદાજ છે. દિવાળી પહેલા ભાવ 2700 આસપાસ હતો. છેલ્લા 10 દિવસમાં સિંગતેલનો ડબ્બો 90 રૂપિયા જેટલો ઘટ્યો છે. તેથી આશા છે કે ઠંડીમાં તેલના ભાવ અંકુશમાં રહે.

સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા ભાવમાં ઘટાડો થયો છે. આ મહિનામાં ખાદ્ય તેલનું બજેટ થોડું ઘટી શકે છે. કારણ કે, સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દિવાળી બાદ તરત જ સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ભાવ ઘટાડા વિશે વેપારીઓનું કહેવું છે કે, નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા ભાવમાં ઘટાડો થયો છે. નવેમ્બર મહિનાની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવમાં વધારો ઝીંકાયો હતો. જેને કારણે દિવાળીના તહેવાર પર અસર પડી હતી, અને લોકોનું બજેટ બગડ્યુ હતું. પરંતુ દિવાળી બાદ રાહતના સમાચાર આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular