Tuesday, June 17, 2025
Google search engine
HomeNewsGujaratગીતાર્થ ગંગા દ્વારા આર્ય યુગ એન્સાઈક્લોપિડીયાનું અનાવરણ

ગીતાર્થ ગંગા દ્વારા આર્ય યુગ એન્સાઈક્લોપિડીયાનું અનાવરણ

અમદાવાદ: ગીતાર્થ ગંગા ધાર્મિક સંશોધન સંસ્થા દ્વારા 19મી મેના રોજ આર્ય યુગકોષ એન્સાઈક્લોપિડીયાનું અનાવરણ કરવામાં આવશે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં 290થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. આ પ્રસંગને સંસ્થા દ્વારા પ્રાચીન દ્રષ્ટાઓના બૌદ્ધિક ઊંડાણ, વિદ્ધત્તાપૂર્ણ સમર્પણ અને કાલાતીત જ્ઞાનના ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે.

આર્ય યુગકોષ એ જૈન શાસ્ત્રો અને અન્ય ધર્મોના ઝીણવટપૂર્વકનો વ્યાપક અને વિશાળ જ્ઞાનકોષ છે. જે મુનિ મોહજિત વિજયજી અને જૈનાચાર્ય યુગભૂષણસુરિજીની પહેલ છે. જેને ખાસ ટીમ દ્વારા ત્રણ દાયકાથી વધુ સમયમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ જ્ઞાન કોષમાં ચાર મુખ્ય વિષયો અને 159 પેટા વિષયો શાસ્ત્રના અધિકૃત અવતરણો સાથે દર્શાવ્યા છે. આ દરેક સંદર્ભો આઠ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે.

  1. व्युत्पत्तिअर्थ – વ્યુત્પર્ત્ત
  2. व्याख्या – વ્યાખ્યા
  3. सान्वर्थलक्षण – ર્વહુંગાવલોકન
  4. लक्षण – લક્ષણ
  5. लक्षण (चिह्न) – પ્રતીકાત્મક લક્ષણ
  6. पर्यायवाची – સમાનાર્થી
  7. विकल्पवाची – અવેજી
  8. स्वरूप – સામાન્ય રૂપરેખા

આગામી દસ વર્ષમા સંસ્થા મુખ્ય 108 વિષય અને 15000 પેટા વિષયોને સમાવીને સમાન રૂપરેખા સાથે આવા 30 જેટલા ગ્રંથો પ્રકાશિત કરવાનું આયોજન ધરાવે છે. સંસ્થા પાસે વિવિધ વિષયોના 20,000થી વધુ ચાર્ટ્સ, 5500થી વધુ ટ્રી વગેરે પણ છે. આ ગ્રંથમાં દરેક વિષય માટે ગુજરાતી અને હિન્દીમાં પરિચય આપવામાં આવ્યો છે. ગીતાર્થ ગંગાનો મૂળ ઉદ્દેશ્ય જૈન શાસ્ત્રોમાં પથરાયેલા મુખ્ય વિષયો અને અધિક પેટા વિષયો બાબતે જેટલા પણ શાસ્ત્ર સંદર્ભો, અન્ય ધાર્મિક સંદર્ભો કે આધુનિક સંદર્ભો હોય તેનું સંકલન કરીને એન્સાઈક્લોપિડીયા તૈયાર કરવાનો છે. જેનો અભ્યાસ કરીને આગામી પેઢીના જૈનાચાર્યો ગહન જાણકાર બની શકે.ભારતના પૂર્વ NSA અને વર્તમાન VIFના ડિરેક્ટર ડૉ. અરવિંદ ગુપ્તાએ ગીતાર્થ ગંગાની ટીમને અભિનંદન આપતા કહ્યું, “આ પ્રયત્નનો વ્યાપ વિશાળ છે અને તે માત્ર જૈન ધર્મ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ઉપયોગી થશે.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular