Monday, June 9, 2025
Google search engine
HomeNewsNationalઅમારા માટે મહિલા અનામત રાજકારણનો મુદ્દો નથી પરંતુ માન્યતાનો પ્રશ્ન : અમિત...

અમારા માટે મહિલા અનામત રાજકારણનો મુદ્દો નથી પરંતુ માન્યતાનો પ્રશ્ન : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે આ યુગ બદલતું બિલ છે. મારી પાર્ટી અને મારા નેતા વડાપ્રધાન મોદીજી માટે મહિલા અનામત એ રાજકારણનો મુદ્દો નથી, પરંતુ માન્યતાનો પ્રશ્ન છે. મે મહિનાની કાળઝાળ ગરમીમાં પટવારીથી માંડીને મુખ્યમંત્રી સુધીની આખી સરકાર દરેક ગામડામાં જઈને છોકરીઓની શાળાઓમાં નોંધણી કરાવતી હતી. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાત રાજ્યમાં ભાજપ સંગઠનમાં મહામંત્રી હતા ત્યારે વડોદરા કારોબારીમાં સંગઠનાત્મક પદોમાં મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપવાનો નિર્ણય લેવાયો હતો. હું ગર્વથી કહી શકું છું કે અમારો આમ કરનાર પ્રથમ પક્ષ છે.

અગાઉ તેમણે કહ્યું હતું કે આવતીકાલ ભારતીય સંસદના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. ગઈકાલે વર્ષોથી પેન્ડિંગ રહેલું મહિલાઓને અધિકાર આપવાનું બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. અમુક પક્ષો માટે મહિલા સશક્તિકરણ રાજકીય એજન્ડા અને ચૂંટણી જીતવાનું રાજકીય સાધન હોઈ શકે છે, પરંતુ ભાજપ અને પીએમ મોદી માટે તે રાજકીય મુદ્દો નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular