Saturday, June 7, 2025
Google search engine
HomeNewsGujaratમાનસિક સ્થિરતા સાથે રસ્તા પર નિયમોનું પાલન કરો: બ્રહ્માકુમારી દિવ્યાબેન

માનસિક સ્થિરતા સાથે રસ્તા પર નિયમોનું પાલન કરો: બ્રહ્માકુમારી દિવ્યાબેન

અમદાવાદ: માર્ગ સલામતી માસ નિમિત્તે ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ વિંગ – બ્રહ્માકુમારીઝ અમદાવાદ અને આર.ટી.ઓ. કાર્યાલય અમદાવાદના સંયુક્ત રીતે બ્રહ્માકુમારીઝ મહાદેવનગર અમદાવાદ ખાતે “કાળજી” કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો.

આ પ્રસંગે આર.ટી.ઓ. કાર્યાલય અમદાવાદના પ્રાદેશિક પરિવહન કાર્યાલયના એન.એન. બક્ષીએ ટ્રાફિક નિયમોના વિવિધ પાસાઓ સમજાવ્યા. તેમણે કહ્યું કે આપણે પોલીસના ડરથી નહીં પણ સલામતી માટે હેલ્મેટ પહેરવું જોઈએ. કાર્યક્રમમાં આર.ટી.ઓ. કાર્યાલયના નિરીક્ષક કે. વી. ચાવડા, પી. જે. વસાવા, રોડ સેફ્ટી કોર્ડીનેટર સિકંદર તેમજ જગદીશભાઈ ઝુલા વગેરે પણ હાજર હતા.બ્રહ્માકુમારી ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ વિંગના ચેરમેન બી.કે. દિવ્યપ્રભા દીદીજી (મુંબઈ-બોરીવલી) એ જણાવ્યું કે માર્ગ સલામતી સંસ્કૃતિમાં પરિવર્તન સાથે કેવી રીતે જોડાયેલી છે? કાર ખરીદતા પહેલા બાળકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના મૂલ્યો શીખવવા જોઈએ. મેડીટેશન દ્વારા મનને નિયંત્રિત કરી રસ્તા પર ટ્રાફિકનું સંચાલન કરી શકાય છે.બી કે કવિતા બહેન (વરિષ્ઠ રાજયોગ શિક્ષક, મુંબઈ-બોરીવલી) એ કહ્યું કે સારા રસ્તા બને છે પણ ટ્રાફિક નિયમોનું પાલન કરનાર સારું મન કોણ બનાવશે? સારું મન વિક્ષેપથી રક્ષણ આપે છે. જીવન કોઈ દોડ નથી, દરેકે પોતાની ગતિએ આગળ વધવું જોઇએ. આપણી માનસિક સ્થિતિ આપણા વાહન ચલાવવાને અસર કરે છે – જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ. કાર્યક્રમ અંતર્ગત હવાલદાર કડક સિંહ નામના વિડીયો દ્વારા બધા ટ્રાફિક સિગ્નલના નિયમોથી વાકેફ થયા.

કાર્યક્રમ દરમિયાન, દેવશ્ય, માલવ અને હિતેશએ એક લઘુ નાટક દ્વારા માર્ગ સલામતી અને જીવન બચાવવાનો સંદેશ આપ્યો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular