Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentકાંતારા હિરો ઋષભ શેટ્ટી હવે મરાઠા યોદ્ધા બનવાની તૈયારીમાં

કાંતારા હિરો ઋષભ શેટ્ટી હવે મરાઠા યોદ્ધા બનવાની તૈયારીમાં

મુંબઈ: રિષભ શેટ્ટી તેની ફિલ્મ ‘કાંતારા’ના બીજા ભાગને લઈને ચર્ચામાં છે. નિર્માતાઓ આ ફિલ્મ વિશે સતત નવા અપડેટ્સ શેર કરી રહ્યા છે. 2022માં રિલીઝ થયેલી ‘કાંતારા’ને દર્શકોમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે અભિનેતા તેની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. રિષભ શેટ્ટીની ‘કાંતારા 2’ ઑક્ટોબર 2025માં સ્ક્રીન પર આવશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન અભિનેતા તેની નવી ફિલ્મને લઈને ચર્ચામાં આવ્યા છે. રિષભ શેટ્ટી પીરિયડ ડ્રામા ફિલ્મ ‘છત્રપતિ શિવાજી મહારાજ’માં જોવા મળશે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ઋષભ છત્રપતિ શિવાજી મહારાજમાં જોવા મળશે

નિર્માતાઓએ ફિલ્મમાંથી રિષભ શેટ્ટીનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ રિલીઝ કર્યું છે, જેમાં કન્નડ અભિનેતા મરાઠા યોદ્ધાના અવતારમાં જોવા મળે છે. આ પોસ્ટરે ઋષભ શેટ્ટીના ચાહકોમાં ઉત્સાહ વધારી દીધો છે. આ ફિલ્મને સંદીપ સિંહ ડાયરેક્ટ કરવા જઈ રહ્યા છે. સંદીપ અને રિષભ બંનેએ આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે.

પોસ્ટર શેર કરતી વખતે ઋષભ શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું,’અમારું ગૌરવ અને વિશેષાધિકાર, અમે તમારી સમક્ષ ભારતના મહાન યોદ્ધા, રાજા, ભારતના ગૌરવ છત્રપતિ શિવાજી મહારાજની મહાકાવ્ય ગાથા લાવી રહ્યા છીએ. તે માત્ર એક ફિલ્મ નથી. તે એવા યોદ્ધાના સન્માનમાં એક યુદ્ધ પોકાર છે જે તમામ અવરોધો સામે લડ્યા, શકિતશાળી મુઘલ સામ્રાજ્યની શક્તિને પડકારી અને એક વારસો બનાવ્યો જે ક્યારેય ભૂલી શકાય નહીં. એક મહાન ઓપસ એક્શન ડ્રામા માટે તૈયાર થાઓ, જે અન્ય કોઈથી વિપરીત સિનેમેટિક અનુભવ છે, કારણ કે અમે છત્રપતિ શિવાજી મહારાજની અકથિત વાર્તાને ઉજાગર કરીએ છીએ. 21 જાન્યુઆરી 2027ના રોજ વૈશ્વિક પ્રકાશન. સર્વત્ર શિવ.’

આ ફિલ્મોમાં રિષભ જોવા મળશે
તમને જણાવી દઈએ કે, એક અભિનેતા તરીકે ઋષભ શેટ્ટીએ સાઉથ સિનેમામાં પોતાની ખાસ છાપ છોડી છે. 2022માં જ્યારે તેની ‘કાંતારા’ રીલિઝ થઈ ત્યારે તેને વિશ્વભરમાં ઓળખ મળી. આ ફિલ્મ માટે ઋષભ શેટ્ટીની ઘણી પ્રશંસા થઈ હતી. આવનારા સમયમાં રિષભ કાંતારા 2 અને છત્રપતિ શિવાજી મહારાજ સહિત ઘણી વધુ ફિલ્મોમાં જોવા મળવાનો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular