Thursday, June 5, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદના પ્રહલાદનગરમાં આગની દુર્ઘટના, 64નો આબાદ બચાવ

અમદાવાદના પ્રહલાદનગરમાં આગની દુર્ઘટના, 64નો આબાદ બચાવ

ઉનાળાની ગરમીમાં આગ લાગવાના અનેક કિસ્સા પ્રકાસમાં આવતા હયો છે. અમદાવાના પ્રહલાદનગરમાં કોમર્સિયલ હાઉસ-4માં નવમાં માળમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં એક પેટ્રોલ પંપની બાજુમાં આવેલી કોમર્શિયલ બિલ્ડિંગના નવમા માળે આગ લાગી હતી. આગને કારણે બિલ્ડિંગમાં અને લિફ્ટમાં અનેક લોકો ફસાયા હતા. આગ લાગતાની સાથે તાત્કાલિક પાંચથી વધુ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને કારણે કોમર્શિયલ બિલ્ડિંગમાં ફસાયેલા 64 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

કોમર્શિયલ હાઉસ-4ના નવમાં માળે લાગેલી આગ પ્રસરીને દસ અને અગિયારમાં માળ સુધી પહોંચી હતી. જે બાદ ફાયર વિભાગ ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જ્યારે આગ લાગવાથી બિલ્ડીંગમાં અફરા તફરનો માહોલ સર્જાયો હતો. જોકે, આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગની ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા. પ્રાથમિક તપાસમાં જણવા મળ્યું કે એસી સોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular