Thursday, June 5, 2025
Google search engine
HomeNewsEntertainmentદર્શકોને સાચી વાત જાણવાનો અધિકાર છેઃ મુનમુન દત્તા

દર્શકોને સાચી વાત જાણવાનો અધિકાર છેઃ મુનમુન દત્તા

મુંબઈઃ ટીવી જગતના સૌથી મશહૂર કોમેડી શોમાંનો એક ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ને દર્શકોનો પ્રેમ મળતો રહ્યો છે. એ શો ઘણા લાંબા સમયથી પ્રસારિત થઈ રહ્યો છે અને એના દરેક કલાકાર લોકોને ખૂબ પસંદ પડી રહ્યા છે. આ જ સિરિયલની 33 વર્ષીય બબિતા ઐયરની ભૂમિકા ભજવી રહેલી મુનમુન દત્તા આજકાલ ન્યૂઝમાં છે. તેણે આ શો છોડ્યાના અહેવાલોએ ન્યૂઝમાં છે. એક વિડિયોમાં જાતિવાદી ટિપ્પણીનો વિવાદ વાઇરલ થયા પછી અભિનેત્રીની શોમાં ગેરહાજરી ઊડીને આંખે વળગી છે.

વાસ્તવમાં મુનમુન છેલ્લા કેટલાક એપિસોડમાં નજરે નહીં ચઢતાં એ અટકળો તેજ થઈ હતી કે તેણે પણ દયા વાકાણીની જેમ શોને અલવિદા તો નથી કહી દીધી. જોકે એ વિશે ખુલાસો કરતાં મુનમુને છેલ્લા બે-ત્રણ દિવસોમાં કેટલીક બાબતોને ખોટી ગણાવી હતી અને તેણે કહ્યું હતું કે એ વિવાદે મારા પર નકારાત્મક અસર પાડી છે.

લોકો કહી રહ્યા છે કે મેં શોના સેટ પર રિપોર્ટ નથી કર્યો- એ સંપૂર્ણ રીતે ખોટું છે. સાચી વાત તો એ છે કે એ શોના ટ્રેકમાં મારી જરૂર નહોતી, એટલે મને શૂટિંગ માટે નથી બોલાવવામાં આવી. પ્રોડ્યુસરને એ શોના એ હપતામાં મારી હા જરૂર ન લાગી, એટલે મને શૂટિંગ નહોતી બોલાવી. એ બાબત હું નક્કી નથી કરતી, પ્રોડક્શન ટીમ નક્કી કરે છે. હું એ શોમાં કામ કરું છું અને પાછી આવું છું. જોકોઈ દ્રશ્યમાં મારી જરૂર ન હોય તો હું શૂટિંગ નહીં કરું.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular