Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsEntertainmentગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા-દિગ્દર્શક અરવિંદ જોશીનું નિધન

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા-દિગ્દર્શક અરવિંદ જોશીનું નિધન

મુંબઈઃ ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ નિર્માતા, લેખક, દિગ્દર્શક અને અભિનેતા અરવિંદ જોશીનું આજે વહેલી સવારે અહીં અવસાન થયું છે. એ 84 વર્ષના હતા. એમના અભિનેતા પુત્ર શર્મન જોશીએ કહ્યું કે, એમના પિતાને વૃદ્ધાવસ્થાને લગતી તકલીફોને કારણે વિલે પારલે (વેસ્ટ) ઉપનગરની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં આજે વહેલી સવારે ઊંઘમાં જ એમણે અંતિમ શ્વાસ લીધો હતો.

અરવિંદ જોશીના આજે બપોરે વિલે પારલે (વેસ્ટ) સ્થિત પવનહંસ સ્મશાનભૂમિ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

અરવિંદ જોશી જાણીતા બોલીવૂડ અભિનેતા શર્મન જોશી અને ફિલ્મ તથા ટીવી સિરિયલોનાં અભિનેત્રી માનસી જોશી-રોયનાં પિતા હતા. શર્મન જોશીએ જાણીતા ચરિત્ર અભિનેતા પ્રેમ ચોપરાની પુત્રી પ્રેરણા સાથે લગ્ન કર્યા છે જ્યારે માનસીએ અભિનેતા રોહિત રોય સાથે લગ્ન કર્યાં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular