Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsEntertainmentઅક્ષયકુમારની ‘મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’નું ટીઝર બહાર

અક્ષયકુમારની ‘મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’નું ટીઝર બહાર

નવી દિલ્હીઃ બોલીવૂડ સ્ટારર  ‘મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’નું પહેલાં મોશન પોસ્ટર પછી હવે એક્શનથી ભરેલી આ ફિલ્મનું ટીઝર બહાર આવ્યું છે.  ખિલાડીકુમાર રિયલ લાઇફ આધારિત ફિલ્મ અને પાત્રો પર ધ્યાન આપવા માટે જાણીતો છે. તેની બહુ ચર્ચિત ફિલ્મ  ‘મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’ પણ એક મિસાલ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને અક્ષયકુમારે ફેન્સની ઉત્તેજના વધારી દીધી છે.

‘મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’ રેસ્ક્યુ છઠ્ઠી ઓક્ટોબર, 2023એ થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ રાનીગંજ કોલફીલ્ડમાં એક રિયલ લાઇફ ઘટના આધારિત છે અને દિવંગત જસવંત સિંહ ગિલ પર આધારિત છે. જેણે 350 ફૂટ નીચે 65 ખાણ મજૂરોના જીવ બચાવ્યા હતા. અક્ષયે ટીઝર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે 1989માં એક વ્યક્તિએ સાહસ અને દ્રઢ વિશ્વાસ દાખવતાં અનેક લોકોના જીવ બચ્યા હતા. #મિશનરાનીગંજ ટીઝર હજી જારી છે. છઠ્ઠી ઓક્ટોબરે #મિશનરાનીગંજની સાથે ભારતના સાચા નાયકની સ્ટોરી જુઓ.

વીર જસવંત સિંહ ગિલે નવેમ્બર, 1989માં રાનીગંજમાં પૂરગ્રસ્ત કોલસાની ખામમાં અંદર ફસાયેલા બધા મજૂરોને બચાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એને વિશ્વનું સૌથી મોટું અને સફળ બચાવ મિશન માનવામાં આવે છે. આ ફિલ્મ વાસ્તવિક સ્ટોરી પર આધારિત છે, જેને જણાવવી બહુ મુશ્કેલ છે. આવામાં આ ફિલ્મનું ટીઝર રહસ્ય, હિંમત અને આકર પડકારો પર કાબૂ મેળવવા પર ભરપૂર છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular