Wednesday, July 30, 2025
Google search engine
HomeNewsEntertainmentસિંગર સોનુ નિગમે અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કર્યાં

સિંગર સોનુ નિગમે અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કર્યાં

અયોધ્યાઃ બોલીવૂડના મશહૂર સિંગર સોનુ નિગમે રવિવાર અયોધ્યા પહોંચ્યો હતો. તેણે ત્યાં હનુમાનગઢી અને રામલલ્લાનાં દરબારમાં દર્શન કર્યાં હતાં. રામલલ્લાનાં દર્શન પછી સોનુ નિગમે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા આવીને હું ધન્ય થયો છું. અયોધ્યા ભારતનું હ્દયસ્થળ છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ભારતની ગરિમાનો વિષય છે. રામ મંદિર બધાને જોડવાનું કામ કરશે. સોનુ સાથે કોંગ્રેસ નેતા સંજય નિરુપમ પણ અયોધ્યા પહોંચ્યા હતા.

સોનુ નિગમે વધુમાં કહ્યું હતું કે અયોધ્યા આવવાની ઇચ્છા ઘણા દિવસોથી મનમાં હતી. હું દુબઈ અને મુંબઈમાં વધુ સમય રહ્યો છું. મને અયોધ્યા આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. રામલલ્લાનાં દર્શન કરીને પરમ શાંતિ અને આનંદ અનુભવું છું. મારી પણ ઇચ્છા છે કે રામ મંદિરમાં એક ઇંટ રાખું. દરેક દેશવાસીઓની ઇચ્છા હોય છે કે તે રામ મંદિરમાં પોતાનું યોગદાન કર્યો હતો.

તેણે કહ્યું હતું કે ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા આવીને અભિભૂત થયો છું.રામ મંદિર નિર્માણ માટે તેણે લોકોને સહયોગ કરવાની અપીલ કરી હતી. તે રામલલ્લા માટે એક ગીત બનાવશે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular