Saturday, May 24, 2025
Google search engine
HomeNewsEntertainmentદક્ષિણી અભિનેત્રી સામન્થાએ કરણ જોહરની ઝાટકણી કાઢી

દક્ષિણી અભિનેત્રી સામન્થાએ કરણ જોહરની ઝાટકણી કાઢી

મુંબઈઃ તેલુગુ અને તામિલ ફિલ્મોની અભિનેત્રી સામન્થા રુથ પ્રભુએ બોલીવુડ નિર્માતા કરણ જોહરની એ મુદ્દે ઝાટકણી કાઢી છે કે તેઓ એમની ફિલ્મોમાં લગ્નોને સાવ અવાસ્તવિક રીતે દર્શાવે છે. સામન્થાએ જોહરની આ ઝાટકણી જોહરના સેલિબ્રિટી ટોક-શો ‘કોફી વિથ કરન’ની સાતમી આવૃત્તિમાં મહેમાન તરીકે ઉપસ્થિત થઈને કાઢી છે. આ એપિસોડ કઈ તારીખે રજૂ થશે એ હજી જાહેર કરાયું નથી, પરંતુ એના ટ્રેલરમાં સામન્થાને જોહરને સંભળાવતી જોઈ શકાય છે.

હિન્દી વેબસીરિઝ ‘ધ ફેમિલી મેન-2’ના પહેલા એપિસોડમાં સામન્થા ઉપસ્થિત થઈ હતી અને એમાં તેણે કરણ જોહરની ફિલ્મોમાં દર્શાવાતા લગ્નોનો વિષય ઉઠાવ્યો હતો. એણે કહ્યું કે, ‘દુઃખી લગ્નો માટેનું કારણ તમે જ છો. તમે તમારી ફિલ્મોમાં સાવ અવાસ્તવિક લગ્નો બતાવો છો. તમે જિંદગીને K3G – કભી ખુશી કભી ગમ તરીકે દર્શાવી છે, જ્યારે વાસ્તવમાં, જિંદગી KGF છે.’ સામન્થા અને જોહર વચ્ચેનો આ રમૂજી સંવાદ હાલ ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular