Saturday, June 7, 2025
Google search engine
HomeNewsEntertainmentવેક્સિનની જાગરુકતા માટે ફેલાવ્યા પૂનમ પાંડેએ મોતના સમાચાર

વેક્સિનની જાગરુકતા માટે ફેલાવ્યા પૂનમ પાંડેએ મોતના સમાચાર

નવી દિલ્હીઃ એક દિવસ પહેલાં મોડલ, એક્ટર અને રિયલ્ટી ટીવીસ્ટાર પૂનમ પાંડેના મોતના સમાચારે સૌને ચોંકાવ્યા હતા અને એ ન્યૂઝ પર એટલા માટે લોકોએ વિશ્વાસ કરી લીધો હતો, કેમ કે એની માહિતી તેમની ટીમે આપી હતી. જોકે હવે પૂનમ પાંડેએ સામે આવીને કહ્યું છે કે તે સહીસલામત છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે તેનો વિડિયો અપલોડ કર્યો છે. એમાં તેણે તેના ફેન્સ અને ફોલોઅર્સની માફી માગી છે.

આ પહેલાં પૂનમ પાંડેના મેનેજરે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું હતું કે પૂનમનું સર્વાઇકલ કેન્સરથી મોત થયું છે. તેના મોતના સમાચાર તેની ટીમે ઇરાદાપૂર્વક ફેલાવી હતી. એક વિડિયોમાં તેણે કહ્યું હતું કે હું જીવિત છું. મારું સર્વાઇકલ કેન્સરથી મોત નથી થયું. ત્યાર બાદ તે બીમારી વિશે વાત કરવા લાગી હતી. તેણે વધુમાં કહ્યું હતું કે હું તમને બધાને કેટલીક મહત્ત્વની વાત શેર કરવા ઇચ્છું છું. હું જીવિત છું અને સર્વાઇકલ કેન્સરને મને નથી મારી નાખી, પણ એ કેન્સરથી હજારો મહિલાઓના જીવ ગયા છે, જેમને આ બીમારી સામે કેવી રીતે લડવું એની માહિતી નહોતી.

તેણે કહ્યું હતું કે તેણે સર્વાઇકલ કેન્સરને લઈને જાગરુકતા ફેલાવવા માટે આવું કર્યું હતું. તેણે એક વધુ વિડિયોમાં ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે સર્વાઇકલ કેન્સરને લઈને ચર્ચા શરૂ થવાથી તે ખુશ છે.  

 

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular