Friday, July 25, 2025
Google search engine
HomeNewsEntertainmentનીતિન દેસાઈને આત્મહત્યા માટે મજબૂર કરવાનો એડલવાઈસ ગ્રુપના અધિકારીઓ પર આરોપ

નીતિન દેસાઈને આત્મહત્યા માટે મજબૂર કરવાનો એડલવાઈસ ગ્રુપના અધિકારીઓ પર આરોપ

મુંબઈઃ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈને આત્મહત્યા કરવા માટે કથિતપણે મજબૂર કરવાનો મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાની પોલીસે એડલવાઈસ ગ્રુપના પાંચ અધિકારીઓ પર આરોપ મૂકી એમની સામે કેસ નોંધ્યો છે. નીતિન દેસાઈના પત્ની નેહા દેસાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે રાયગડ જિલ્લાના ખાલાપુર પોલીસ સ્ટેશને ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવા) અને કલમ 34 (સમાન ઈરાદો) અંતર્ગત એફઆઈઆર નોંધી છે. નેહા દેસાઈએ એમની ફરિયાદમાં એવો આરોપ મૂક્યો છે કે એમનાં પતિએ એમની કંપની એનડીઝ આર્ટ વર્લ્ડ પ્રા.લિ. માટે જે લોન લીધી હતી એ માટે એમની સતત માનસિક સતામણી કરવામાં આવતી હતી અને એને કારણે જ એમણે આત્મહત્યા કરી છે.

નીતિન દેસાઈના શુક્રવારે સાંજે રાયગડ જિલ્લાના કર્જત નગર સ્થિત એમના આર્ટ સ્ટુડિયો ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે પૂર્વે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મુંબઈની જે.જે. હોસ્પિટલમાં દેસાઈના પાર્થિવ શરીરના અંતિમ દર્શન કર્યા હતા

કહેવાય છે કે, દેસાઈ લોન પેટે નીકળતા રૂ. 252 કરોડની રકમ એમના લેણદારોને ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા. તેથી નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે દેસાઈની કંપની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરી હતી. દેસાઈની કંપનીએ 2016 અને 2018માં ઈસીએલ ફાઈનાન્સ કંપની પાસેથી રૂ. 185 કરોડની કુલ રકમની બે લોન લીધી હતી. પરંતુ તેઓ એ પરત કરી ન શકતા 2020ના જાન્યુઆરીથી એમની મુસીબતનો આરંભ થયો હતો. ઈસીએલ ફાઈનાન્સ તે એડલવાઈસ ગ્રુપની નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપની છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular