Saturday, June 14, 2025
Google search engine
HomeNewsEntertainmentલતા મંગેશકરની તબિયત વધારે બગડી

લતા મંગેશકરની તબિયત વધારે બગડી

મુંબઈઃ કોરોના હોવાનું માલૂમ પડ્યાં બાદ અહીંની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલાં મહાન પાર્શ્વગાયિકા લતા મંગેશકરની તબિયત વધારે બગડી છે.

92-વર્ષીય ભારત રત્ન સમ્માનિત લતાજીને કોરોના બીમારીનો ચેપ લાગવા ઉપરાંત ન્યૂમોનિયા પણ થયો છે. એમને હજી પણ આઈસીયૂમાં રાખવામાં આવ્યા છે અને ડોક્ટરોની એક ટીમ એમની સારવાર-દેખભાળ કરી રહી છે. હાલને તબક્કે એમને મળવાની કોઈ પણ વ્યક્તિને પરવાનગી નથી. લતાજીની તબિયતમાં સુધારો થવામાં થોડોક સમય લાગશે. એમને ક્યાં સુધી આઈસીયૂમાં રાખવા પડશે એ વિશે ડોક્ટરો હાલ કશું કહી શકે એમ નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular