Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainmentજોન, દિવ્યાની 'સત્યમેવ જયતે-2'નું લખનઉમાં શૂટિંગ શરૂ

જોન, દિવ્યાની ‘સત્યમેવ જયતે-2’નું લખનઉમાં શૂટિંગ શરૂ

નવી દિલ્હીઃ જોન અબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમાર અપકમિંગ ફિલ્મ સત્યમેવ જયતે-2નું શૂટિંગ લખનઉના અલગ-અલગ ભાગોમાં કરશે. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2021 સુધી જારી રહેશે. ફિલ્મનું યુનિટ લખનઉના અલગ-અલગ કિલ્લાઓ અને કોલેજોમાં શૂટિંગ કરશે. કાસ્ટની સલામતીને ધ્યાનમાં રાખતાં શૂટિંગના સમયે પબ્લિક માટે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે.

ફિલ્મના ડિરેક્ટર મિલાપ ઝવેરીએ જણાવ્યું હતું કે શૂટિંગ લીડ કાસ્ટની સાથે શરૂ કરવામાં આવશે અને પછી અન્ય કલાકારો ધીરે-ધીરે જોડાશે. હર્ષ છાબડા, ગૌતમી કપૂર, શાદ રંધાવા, અનુપ સોની અને સાહિલ વેદ જેવા અન્ય એક્ટર્સ આમાં સામેલ થશે. જોકે શૂટિંગ દરમ્યાન કેટલાંક લાઇવ લોકેશન્સ સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવશે, જેથી ભીડ એકઠી ના થાય. માત્ર કાસ્ટ અને ક્રૂ જ સ્પોટ પર હાજર રહેશે, એમ તેમણે કહ્યું હતું.

ઝવેરીએ કહ્યું હતું કે લખનઉના રસ્તાઓ પર એક્શન સિક્વન્સિસ શૂટ કરવાનું આયોજન કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે તેમણે ફિલ્મના લીડ એક્ટર જોન અબ્રાહમને લોકેશન્સની એક વર્ચ્યુઅલ ટુર કરાવી છે અને તે એ જગ્યાએ શૂટ કરવા માટે શૂટિંગ કરવો ઉત્સુક છે. લખનઉના રસ્તાઓ પર થનારી એક્શન સિકવન્સને લઈને પ્રોડ્યુસર પણ ઘણા એક્સાઇટેડ છે.

 સત્યમેવ જયતે-2 પહેલા ભાગ કરતાં વધુ સારી બનશે

અમે વચન આપીએ છીએ કે સત્યમેવ જયતેનો બીજો ભાગ પહેલી ફિલ્મથી સારો હશે, જ્યારે અમે એક ફ્રેન્ચાઇઝીને આગળ લઈ જવાનો નિર્ણય કરીએ છી ત્યારે આપણે સ્ટોરી અને પાત્રો સાથે તૈયાર રહેવું પડશે. મિલાપે લોકડાઉન દરમ્યાન જોનની સાથે એક્શન દ્રશ્યો પર બહુ મહેનત કરી છે. લખનઉમાં મિલાપની સાથે હાજર નિર્માતા નિખિલ અડવાણી દાવો કરે છે કે મિલાપે આ વિષયને વિકસિત કર્યો છે, એટલા માટે લખનઉમાં સેટિંગ થશે અને ત્યાં સ્ટોરીને સેટ કરવામાં આવશે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular