Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainmentકોરોનાએ ‘બજરંગી ભાઈજાન’ના અભિનેતાનો જાન લીધો

કોરોનાએ ‘બજરંગી ભાઈજાન’ના અભિનેતાનો જાન લીધો

શિમલાઃ કોરોના વાઈરસે બોલીવૂડને એક વધુ આંચકો આપ્યો છે. એણે ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ના અભિનેતા હરીશ બંચટાનો જાન લીધો છે. બંચટાએ ફિલ્મમાં પાકિસ્તાની પોલીસ અધિકારીનો રોલ કર્યો હતો. એમના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. એમનું આજે સવારે નિધન થયું હતું.

48 વર્ષીય બંચટા બોલીવૂડમાં 18-વર્ષથી કામ કરતા હતા. એમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ બજરંગી ભાઈજાનમાં એમણે કરેલા અભિનયની ઘણી પ્રશંસા કરાઈ છે. બંચટાએ સીઆઈડી, ક્રાઈમ પેટ્રોલ જેવી અનેક ટીવી સિરિયલોમાં પણ અભિનય કર્યો હતો.

હજી ગયા સોમવારે રાતે જ બંચટાની માતાનું કોરોનાને કારણે નિધન થયું હતું. મંગળવારે સાંજે કોરોના નિયમો અનુસાર બંચટાના પૈતૃક ગામમાં જૂજ લોકોની હાજરીમાં એમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હરીશ બંચટાને તાવ ચડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંચટાને એક દીકરી છે, જે 9મા ધોરણમાં ભણે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular