Saturday, August 9, 2025
Google search engine
HomeNewsEntertainmentમુઠ્ઠીઓ, અવાજ, નિતંબઃ પાંચ અજીબ વસ્તુઓનો બોલીવુડ સિતારાઓએ ઉતરાવ્યો છે વીમો

મુઠ્ઠીઓ, અવાજ, નિતંબઃ પાંચ અજીબ વસ્તુઓનો બોલીવુડ સિતારાઓએ ઉતરાવ્યો છે વીમો

મુંબઈઃ હિન્દી ફિલ્મોનાં કલાકારો અને કસબીઓ એમના યૂએસપી (ખાસિયત, ખૂબી) આધારિત કરોડો રૂપિયાની કમાણી કરતા હોય છે. એમની ખાસિયતોને કારણે જ તેઓ દર્શકો, શ્રોતાઓમાં લોકપ્રિય થયા હોય છે, પછી તે લતા મંગેશકર અને અમિતાભ બચ્ચનનો સ્વર હોય, જોન અબ્રાહમનું ખડતલ શરીર હોય. બોલીવુડની અનેક હસ્તીઓએ તેમની આ સંપત્તિઓનો વીમો ઉતરાવ્યો છે અથવા ઉતરાવવાની ઈચ્છા ધરાવે છે.

  • મહાન ગાયિકા ‘ભારત રત્ન’ લતા મંગેશકરે એમનાં સ્વરનો અઘોષિત રકમમાં વીમો ઉતરાવ્યો હતો.
  • અમિતાભ બચ્ચન એમની એક્ટિંગ માટે પ્રસિદ્ધ થયા છે, પરંતુ એમની ગાયકી એમના વ્યક્તિત્વનું એક અલગ જમાપાસું છે. આ મહાનાયકે એમના અવાજનો પણ વીમો ઉતરાવ્યો છે.
  • દક્ષિણી ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે એમના ટ્રેડમાર્ક અવાજનો વીમો ઉતરાવ્યો છે એટલું જ નહીં, એના કોપીરાઈટ્સ પણ મેળવ્યા છે જેથી કોઈ પણ બ્રાન્ડ એમની સહમતી વગર એનો ઉપયોગ કરે નહીં.
  • ઓલિમ્પિયન બોક્સર-કમ-અભિનેતા વિજેન્દર સિંહે એમની મુઠ્ઠીઓનો વીમો ઉતરાવ્યો છે.
  • અભિનેત્રી મલ્લિકા શેરાવતે 2009માં જાહેરાત કરી હતી કે તે એની સંપૂર્ણ કાયાનો રૂ. 50 કરોડમાં વીમો ઉતરાવી રહી છે.
  • અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ એનાં સુંદર સ્માઈલનો અઘોષિત રકમમાં વીમો ઉતરાવ્યો છે.
  • અભિનેતા જોન અબ્રાહમે એક વાર કહ્યું હતું કે પોતે એના નિતંબનો વીમો ઉતરાવવા માગે છે.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular