Sunday, June 8, 2025
Google search engine
HomeNewsEntertainmentસુશાંત અપમૃત્યુ મામલે ફસાયેલા કરણ જોહરની ફિલ્મ આલિયાએ છોડી

સુશાંત અપમૃત્યુ મામલે ફસાયેલા કરણ જોહરની ફિલ્મ આલિયાએ છોડી

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોત પછી બોલિવુડમાં નેપોટિઝમનો વિવાદ ઘેરો બની રહ્યો છે. આવામાં મશહૂર નિર્માતા કરણ જૌહરને સૌથી વધુ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. કરણ પર ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કરણ પોતાની ફિલ્મોમાં માત્ર સ્ટાર કિડ્ઝને જ તક આપે છે એવા આક્ષેપો થયા છે.

કરણ જોહરથી અંતર બનાવી રહી છે આલિયા

બોલિવુડમાં નેપોટિઝમના વધતા વિવાદોને કારણે હવે અમુક સેલિબ્રિટીઝ કરણ જોહરથી અંતર બનાવી રહ્યા છે. કહેવાય છે કે, આલિયા ભટ્ટે કરણ જોહરના નિર્માણમાં અરુણિમા સિન્હાની બાયોપિક પરથી બનનારી ફિલ્મના કલાકાર તરીકે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. એને લીધે સારા અલી ખાન અને જાન્હવી કપૂરનાં નામ ચર્ચામાં આવ્યા છે.

અપંગ મહિલા પર્વતારોહી બન્યાનો ઇતિહાસ

અરુણિમા સિન્હા એક વિકલાંગ પર્વતારોહી છે, જેમણે એક પગ હોવા છતાં વિશ્વના સૌથી ઊંચા શિખર, માઉન્ટ એવરેસ્ટને સર કર્યું હતું. વિશ્વના સૌથી ઊંચા શિખરને સર કરનાર એ વિશ્વનાં પ્રથમ વિકલાંગ મહિલા પર્વતારોહી બન્યાં છે.

સુશાંતના મોત પછી કરણ જોહરની હાલત કફોડી

હાલમાં કરણના એક નજીકના મિત્રએ જણાવ્યું હતું કે સુશાંતના મોત પછી કરણ સાવ ભાંગી પડ્યા છે. તે હજી એ સ્વીકારી જ શકતા કે સુશાંતે પોતાને કારણે એવું અંતિમ પગલું ભર્યું. મિત્રએ વધુમાં કહ્યું હતું કે કરણ અને તેના નજીકની વ્યક્તિઓને સતત ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. ત્યાં સુધી કે અનન્યા પાંડે તો ત્યાં સુધી કહ્યું છે કે હવે તે પણ આત્મહત્યા કરી લે, જેથી સુશાંતના મોતની ભરપાઈ કરી શકાય.

ત્રણ મહિનામાં આલિયાને રાજી કરશે કરણ

આલિયાએ અરુણિમા સિન્હાની બાયોપિકથી પોતાનું નામ પાછું ખેંચી લેતાં કરણ જોહરે બેથી ત્રણ મહિનાનો સમય માગ્યો છે. કરણનો દાવો છે કે તે આ પાત્ર માટે આલિયાને ચોક્કસ મનાવી લેશે.

ઉલ્લેખનીય છે કે આલિયાએ પોતાની ફિલ્મી કારકિર્દીનો આરંભ કરણ જોહરના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી કર્યો હતો. નવી ફિલ્મ સાઈન કરતા પહેલાં એ જોહરની સલાહ લેતી હોય છે એવું પણ કહેવાય છે.

હવે એ જોવું રસપ્રદ રહેશે કે કરણ જોહર આલિયાને મનાવી શકે છે કે નહીં?

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular