Monday, June 16, 2025
Google search engine
HomeNewsEntertainmentઆલિયા-રણબીર બન્યાં માતા-પિતા; દંપતીને પ્રાપ્ત થયું છે લક્ષ્મીરત્ન

આલિયા-રણબીર બન્યાં માતા-પિતા; દંપતીને પ્રાપ્ત થયું છે લક્ષ્મીરત્ન

મુંબઈઃ બોલીવુડ કલાકાર દંપતી રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં પરિવારમાં આનંદનો અવસર આવ્યો છે. આલિયાએ આજે બપોરે અહીં પુત્રીને જન્મ આપ્યો છે. દંપતીનું આ પહેલું જ સંતાન છે. દંપતી આજે સવારે જ ચર્ની રોડ સ્થિત સર એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં પહોંચ્યાં હતાં. તે પછી રણબીરના માતા નીતૂ સિંહ-કપૂર અને આલિયાનાં માતા સોની રાઝદાન પણ હોસ્પિટલમાં પહોંચ્યાં હતાં.

રણબીર અને આલિયાએ ગયા જૂન મહિનામાં આલિયા ગર્ભવતી થયાની જાહેરાત કરી હતી. ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં ચમકેલાં રણબીર અને આલિયાએ આ વર્ષની 14 એપ્રિલે લગ્ન કર્યાં હતાં. લગ્નના બે જ મહિના બાદ દંપતીએ આલિયા પ્રેગનન્ટ થયાનાં સરપ્રાઈઝ સમાચાર એમનાં ચાહકોને આપ્યાં હતાં.

રણબીરની બે નવી ફિલ્મ આવી રહી છે. હજી શિર્ષકવિહોણી એક ફિલ્મમાં તે શ્રદ્ધા કપૂર સાથે કામ કરી રહ્યો છે જ્યારે ‘એનિમલ’ ફિલ્મમાં એની હિરોઈન છે રશ્મીકા મંદાના. આલિયા જોવા મળશે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મમાં, જેમાં એની સાથે રણવીર સિંહ, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન પણ હશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular