Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsEntertainmentફર્સ્ટ લુકઃ અક્ષયકુમાર 'છત્રપતિ શિવાજી મહારાજ'ના રોલમાં

ફર્સ્ટ લુકઃ અક્ષયકુમાર ‘છત્રપતિ શિવાજી મહારાજ’ના રોલમાં

મુંબઈઃ દિગ્દર્શક મહેશ માંજરેકરની મરાઠી પીરિયડ ફિલ્મ ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’માં બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર છત્રપતિ શિવાજી મહારાજનો રોલ નિભાવી રહ્યો છે. આ ફિલ્મના પ્રથમ શેડ્યુલનું શૂટિંગ મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું છે. તેનો પહેલો વીડિયો અક્ષયે પોતાના સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. પોસ્ટની કેપ્શનમાં એણે લખ્યું છેઃ “जय भवानी, जय शिवाजी.”

આ ફિલ્મમાં સાત બહાદુર મરાઠા યોદ્ધાઓની વાર્તા છે, જેમનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો, છત્રપતિ શિવાજી મહારાજે સ્વરાજ્યના સેવેલા સપનાને સાકાર કરવું. કુરેશી પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ મરાઠી, હિન્દી, તામિલ અને તેલુગુ ભાષાઓમાં 2023ના દિવાળીમાં થિયેટરોમાં રિલીઝ કરાશે. આ ફિલ્મમાં જય દુધાણે, ઉત્કર્ષા શિંદે, વિશાલ નિકમ, વિરાટ મડકે, હાર્દિક જોશી, સત્યા, નવાબ ખાન અને પ્રવીણ તર્ડે જેવા અન્ય કલાકારો પણ ભૂમિકા ભજવી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular