Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainment'કેરાલા સ્ટોરી' ફિલ્મ ઘણી છોકરીઓનાં જાન બચાવશેઃ અદા શર્મા

‘કેરાલા સ્ટોરી’ ફિલ્મ ઘણી છોકરીઓનાં જાન બચાવશેઃ અદા શર્મા

મુંબઈઃ ઘણો વિરોધ થયો હોવા છતાં ‘ધ કેરાલા સ્ટોરી’ હિન્દી ફિલ્મ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. તેનો દેખાવ ઘણો જ સરસ રહ્યો છે. રિલીઝ થયાના પહેલા પાંચ દિવસમાં જ તેણે રૂ. 50 કરોડના આંકને પાર કરી દીધો છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની સફળતાથી ખુશ થઈને અભિનેત્રી અદા શર્માએ તેનાં પ્રત્યાઘાત દર્શાવ્યાં છે. એક ઈન્ટરવ્યૂમાં એણે કહ્યું કે, ‘આ ફિલ્મ એક જનજાગૃતિ જગાડનારી છે. તેનાથી ઘણી બધી છોકરીઓનાં જાન બચી જશે. અમને જબરદસ્ત સપોર્ટ મળ્યો છે. હું ખૂબ જ કૃતજ્ઞ છું.’

અદાએ વધુમાં કહ્યું કે, ‘આ ફિલ્મ માટે અમને સૌને મળેલો ટેકો અભૂતપૂર્વ રહ્યો છે. આખો દેશ મારું સમર્થન કરી રહ્યો છે. હું વિનમ્ર અને સ્તબ્ધ છું.’

સુદિપ્ત સેન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ત્રણ હિન્દૂ છોકરીઓ વિશેની છે જેમને કેરળ રાજ્યમાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ દ્વારા ફોસલાવીને ઈસ્લામ ધર્મમાં કન્વર્ટ કરાવે છે. ફિલ્મમાં અદા શર્માની સાથે યોગિતા બિહાની, સોનિયા બલાની અને સિદ્ધિ ઈદનાનીએ પણ મહત્ત્વની ભૂમિકા કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular