Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainment7.7 કરોડ લોકોએ 'રામાયણ' જોઈ; દુનિયાનો નંબર-1 ટીવી શો

7.7 કરોડ લોકોએ ‘રામાયણ’ જોઈ; દુનિયાનો નંબર-1 ટીવી શો

મુંબઈઃ દૂરદર્શન ચેનલ પર ‘રામાયણ’ હિન્દી સિરિયલના પ્રસારણે અનેક રેકોર્ડ બનાવ્યા છે. કોરોના વાઈરસ મહાબીમારીમાં પુનઃપ્રસારિત સિરિયલે ઇતિહાસ રચ્યો છે. એ કહેવામાં જરાય શંકા નથી કે સામાયણની સાથે દૂરદર્શન પણ ટોપ ટ્રેન્ડમાં સામેલ થયું છે. ટેલિકાસ્ટના પહેલા જ દિવસથી માંડીને બે દિવસ સુધી સવારે અને સાંજના સમયે ટ્વિટર પર #Ramayan અને #DDnational ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. ટ્વિટરના ટોપ 3 ટ્રેન્ડમાં સામેલ રહ્યું હતું. આ વચ્ચે જે તાજા અહેવાલ આવ્યો છે એ સ્પષ્ટ દર્શાવે છે કે આ શો દેશમાં નહીં દુનિયામાં પણ ઘણો પસંદ કરવામાં આવતો શો છે.

કોરોના સંકટમાં ‘રામાયણ’ વિશ્વનો નંબર 1 શો

વિશ્વભરમાં કોરોના સંકળ કાળ ચાલી રહ્યો છે ત્યારે ‘રામાયણ’ દુનિયાનો નંબર વન ટીવી-શો બની ગયો છે. તેણે વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે.

16 એપ્રિલના એપિસોડને વિશ્વભરમાં 7.7 કરોડ લોકોએ જોયો

દૂરદર્શન પર રામાયણે વાપસી કરીને નવો ઇતિહાસ બનાવ્યો છે. ‘રામાયણ’ના 16 એપ્રિલના એપિસોડને દુનિયાભરમાં 7.7 કરોડ લોકોએ જોયો હતો. વર્લ્ડ રેકોર્ડની સાથે એ વિશ્વમાં સૌથી વધુ જોવાતો નંબર-વન શો બની ગયો છે.

‘રામાયણ’ના દરેક દિવસના બે એપિસોડ બતાવાતાં લાભ

કોરોના વાઇરસને કારણે આ શોની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. એનું કારણ એ છે કે ‘રામાયણ’ 80થી 90ના દાયકામાં સૌથી જોવાતો અને પસંદ કરવામાં આવતો શો રહ્યો હતો. સોશિયલ મિડિયા પર આની ખૂબ ચર્ચા થઈ છે. દૈનિક ધોરણે ‘રામાયણ’ના બે એપિસોડ બતાવવામાં આવતાં ચેનલે TRP મેળવી લીધી.

પ્રસાર ભારતીના CEO શશિ શેખરે ટ્વીટ કરીને કહ્યું

પ્રસાર ભારતીના CEO શશિ શેખરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી કે વર્ષ 2015થી લઈને અત્યાર સુધી જનરલ એન્ટરટેઇનમેન્ટ કેટેગરી શોને મામલે રામાયણ શો ટોપ પર છે. વર્ષ 2015થી અત્યાર સુધી સૌથી વધુ TRP ઊભી કરવાવાળા શો હિન્દી જનરલ કેટેગરીમાં રામાયણ બની ગયો છે.

યાહૂ સર્ચમાં પણ રેકોર્ડ બનાવ્યો

આના પહેલાં વેબ સર્વિસ પ્રોવાઇડર યાહૂએ પણ એક સર્વે રિલીઝ કર્યો હતો. જ્યાં એક મહિનામાં દૈનિક ધોરણે સર્ચમાં સૌથી વધુ ટીવી શો તરીકે રામાયણ શોધવામાં આવ્યો હતો. રામાયણના પુનઃપ્રસારણ દર્શકોમાં ઉત્સાહ જરૂર લઈ આવ્યો હતો. રામાયણે સર્ચને મામલે તાનાજી, ગુડ ન્યૂઝ અને બિગ બોસને પણ પાછળ છોડી દીધી હતી.

‘રામાયણ’ના ઓપનિંગ એપિસોડની TRP

અહેવાલ અનુસાર ઓપનિંગ એપિસોડના પહેલા દિવસે 34 મિલિયન દર્શકોએ આ શો જોયો હતો. તે પછી એને 3.4 ટકાનું રેટિંગ મળ્યું છે. સાંજના એપિસોડને 45 મિલિયન દર્શકોએ જોયો, જેનું રેટિંગ 5.2 રહ્યું હતું. આગલા દિવસે એને 40 મિલિયન અને સાંજે 51 લાખ લોકોએ રામાયણ જોઈ હતી.

170 મિલિયન વ્યુઅર્સ અને પ્રાઇમ ટાઇમ

અહેવાલ અનુસાર વીતી ગયેલા વીક-એન્ડમાં ‘રામાયણ’ના શરૂના ચાર શોમાં 170 મિલિયન દર્શકો મળ્યા હતા. રવિવારેના શોના બીજા દિવસે સવારે 40 મિલિયન અને સાંજે 51 મિલિયન દર્શકો મળ્યા હતા. સવારે નવ કલાકે અને રાત્રે નવ કલાકે પ્રાઇમ ટાઇમનો સમય હોય છે. લોકડાઉનના સમયે વધુ ને વધુ લોકો ટીવીને સહારે દિવસો વિતાવતા હતા.

‘રામાયણ’ ગૂગલના ટોપ ટ્રેડિંગ સર્ચમાં પણ સામેલ

ટેલિકાસ્ટ થતાં પહેલાં ‘રામાયણ’ ટીવી સિરિયલ ગૂગલના ટોપ ટ્રેડિંગ સર્ટમાં સામેલ થઈ હતી. લોકોએ ટેલિકાસ્ટના દિવસ સુધી જાણવા ઇચ્છ્યું કે ક્યારે અને કયા સમયે રામાયણ જોઈ શકાશે. એટલે સુધી કે ‘રામાયણ’ને યૂટ્યુબ પર પણ લાઇવ ટેલિકાસ્ટમાં જોવામાં આવી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular