Thursday, June 12, 2025
Google search engine
HomeNewsNationalછત્તીસગઢના દંતેવાડામાં એન્કાઉન્ટર, 9 નક્સલી ઠાર

છત્તીસગઢના દંતેવાડામાં એન્કાઉન્ટર, 9 નક્સલી ઠાર

આજે છત્તીસગઢના દંતેવાડા અને બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટરમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયા છે. સરહદી વિસ્તારમાં નક્સલવાદીઓને ખતમ કરવાનું અભિયાન હજુ પણ ચાલુ છે. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. તમામ સૈનિકો સુરક્ષિત હોવાનું કહેવાય છે.

Sukma Naxalite attack

પશ્ચિમ બસ્તર ડિવિઝનમાં નક્સલવાદીઓની હાજરીની બાતમી મળતાં, એક સંયુક્ત પોલીસ પાર્ટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન નક્સલીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળો દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular