Thursday, May 15, 2025
Google search engine
HomeNewsBusinessઆર્થિક સર્વેમાં GDP ગ્રોથ 6.3-6.8 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ

આર્થિક સર્વેમાં GDP ગ્રોથ 6.3-6.8 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારામને સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો. નાણાં મંત્રીએ આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યા પછી સંસદની કાર્યવાહી પહેલી ફેબ્રુઆરીની સવારે 11 કલાક સુધી સ્થગિત કરવામાં આવી છે. સર્વેમાં રેલવે, રોડ, એરપોર્ટ અને પોર્ટ જેવાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં ગ્રોથ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકશે.

New Delhi : Union Finance Minister Nirmala Sitharaman speaks in Lok Sabha during the Budget Session of Parliament in New Delhi on Monday, July 22, 2024. (Photo: IANS/Sansad TV)નાણાપ્રધાને આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતનો ગ્લોબલ IPO લિસ્ટિંગમાં 2023ના 17 ટકાથી વધીને 2024માં 30 ટકાનો હિસ્સો થયો હતો. આર્થિક સર્વેમાં FY26માં GDP ગ્રોથ અંદાજ 6.3 ટકાથી 6.8 ટકાનો અંદાજ માંડવામાં આવ્યો હતો. દેશનો જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર 5.4 ટકાના દરે વધ્યું હતું, જે RBIના સાત ટકાના અંદાજથી ઓછો છે.

જે એપ્રિલ-જૂન  ત્રિમાસિકમાં આર્થિક ગ્રોથ ધીમો પડયો હતો, જે રિઝર્વ બેન્કના અંદાજ કરતાં ધીમો પડ્યો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દેશની વેપારની કામગીરી ગયા વર્ષની તુલનાએ ઘટી હોવાનો અને એ 14 મહિનાના તળિયે પહોંચી હોવાનો અંદાજ સર્વેમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિના અભિભાષણ પછી લોકસભાની કાર્યવાહી શરૂ થતા સ્પીકર ઓમ બિરલાએ સંસને ભૂતપૂર્વ PM ડો. મનમોહન સિંહ અને સંસદના ચાર ભૂતપૂર્વ સભ્યો અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિમ કોર્ટર જુનિયરના નિધનની સૂચના આપવામાં આવી હતી ને શોક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular