Saturday, June 7, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના આંચકા અનુભવાયા

મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના આંચકા અનુભવાયા

મુંબઈ: મહારાષ્ટ્રના પાલઘરમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા માત્ર 3.3 હતી. આ કારણથી બહુ નુકશાન થયું નથી. સવારે 6.35 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું.

ભૂકંપ શા માટે થાય છે?
હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, આપણી પૃથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે.

દર વર્ષે વિશ્વમાં લગભગ 20 હજાર ભૂકંપ આવે છે
દર વર્ષે વિશ્વમાં લગભગ 20 હજાર ભૂકંપ આવે છે પરંતુ તેની તીવ્રતા એટલી વધારે નથી કે તેનાથી લોકોને મોટું નુકસાન થાય. રાષ્ટ્રીય ધરતીકંપ માહિતી કેન્દ્ર આ ધરતીકંપોને રેકોર્ડ કરે છે. માહિતી અનુસાર, 20 હજારમાંથી માત્ર 100 ભૂકંપ એવા છે જે નુકસાન પહોંચાડે છે. ઇતિહાસનો સૌથી લાંબો સમય ચાલતો ભૂકંપ હિંદ મહાસાગરમાં 2004માં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી અનુભવાયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular