Saturday, June 28, 2025
Google search engine
HomeNewsGujaratદીપોત્સવી: ઘર, શાળા, મંદિરોના આંગણે રંગોળી

દીપોત્સવી: ઘર, શાળા, મંદિરોના આંગણે રંગોળી

અમદાવાદ: દિવાળી આવે એટલે ઘરના અને આંગણા સ્વચ્છ થઈ જાય. વિવિધ રંગોનો ઉપયોગ કરી ડિઝાઈન સાથે રંગોળી પૂરવામાં આવે અને અંધકાર દૂર કરી ઉજાસ આપતા દીવડાં ઝગમગી ઉઠે.

હવે આધુનિક યુગમાં વિવિધ આકાર સાથેના દીવડાં ઉપલબ્ધ છે. કાગળ અને ધાતુમાં રંગોળીની ડિઝાઈન પણ તૈયાર મળી જાય છે. પરંતુ હજુ પણ ઘર, શાળાઓ અને ઓફિસોને સજાવવા લોકો પોતાની હસ્તકલા પ્રસ્તુત કરે છે.અમદાવાદ શહેરની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભેગા મળી રંગોળી પૂરી. મંદિરોને સાધુઓ અને હરિભક્તોએ ભેગા મળી રંગોળી અને દીવડાંથી સજાવ્યા. ઘર અને આંગણને ગૃહિણીઓએ રંગોળીથી સજાવ્યા છે.

એસ.જી.વી.પી સંસ્થા સાથે સંકળાયેલા ભાવિની મિસ્ત્રી ચિત્રલેખા.કોમને કહે છે દિવાળી જેવા તહેવારોમાં બાળકો સાથે મળીને રંગો સાથે એક કલાકૃતિ તૈયાર કરવાનો આનંદ અલગ જ હોય છે. સંસ્થાઓનું આંગણુ દીપી ઉઠે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજાની નજીક આવે છે. આ સાથે પોતાની આવડત રજુ કરવાનું પ્લેટફોર્મ મળે છે.ડો. ધારા કાપડિયા કહે છે મને ઘરમાં અને કમ્પાઉન્ડને વિવિધ રંગોળીથી સજાવવું ખૂબજ ગમે છે. આ વર્ષે વિવિધ રંગોથી રામ સીતા દોર્યા છે. આ સાથે આંગણામાં તુલસી ક્યારા નજીક અને ઘરમાં જાતે વિવિધ આકારની રંગોળી દીવડાંથી સજાવટ કરી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular