Sunday, June 8, 2025
Google search engine
HomeNewsEntertainmentતમામ રાજ્યોમાં દારુબંધી કરવામાં આવે, હું નહીં ગાવ દારૂનાં ગીત: દિલજીત દોસાંજ

તમામ રાજ્યોમાં દારુબંધી કરવામાં આવે, હું નહીં ગાવ દારૂનાં ગીત: દિલજીત દોસાંજ

મુંબઈ: પંજાબી સિંગર દિલજીત દોસાંઝ તાજેતરમાં તેલંગાણા સરકાર તરફથી લીગલ નોટિસ મળ્યા બાદ વધારે ચર્ચામાં છે. નોટિસમાં તેને ચેતવણી આપવામાં આવી છે કે તે હૈદરાબાદમાં તેના આગામી કોન્સર્ટ દરમિયાન દારૂ, ડ્રગ્સ અથવા હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો વગાડે નહીં. હવે ગાયકે આ નોટિસ પર રમૂજી રીતે પ્રતિક્રિયા આપી છે.

દિલજીત આલ્કોહોલ સંબંધિત ગીતો નહીં ગાય
અમદાવાદ, ગુજરાતમાં તેમના કોન્સર્ટ દરમિયાન દિલજીત દોસાંઝે કોન્સર્ટની આસપાસના કાયદાકીય મુદ્દાને સંબોધિત કર્યો. તેણે અહેવાલ આપ્યો કે તે દિવસે તેને કોઈ સૂચના મળી ન હતી, પરંતુ તેના પ્રેક્ષકોને ખાતરી આપી હતી કે પ્રતિબંધના કાયદાના આદરને લીધે તે પ્રદર્શન દરમિયાન આલ્કોહોલ સંબંધિત ગીતો ગાશે નહીં.

બોલિવૂડ સેલિબ્રિટીઝ પર કટાક્ષ કર્યો
દિલજીતે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે બોલિવૂડમાં આલ્કોહોલ વિશે ઘણા ગીતો છે, પરંતુ તેના કેટલાક ગીતો જ તેનો સંદર્ભ આપે છે. તેણે બોલિવૂડ સેલિબ્રિટી પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે તે દારૂનું સમર્થન કે જાહેરાત તો નથી કરતો ને!.

 

View this post on Instagram

 

A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh)

અમદાવાદમાં તેમના તાજેતરના કોન્સર્ટ દરમિયાન તેમણે જાહેરાત કરી કે, “આજે પણ હું દારૂ પર કોઈ ગીત નહીં ગાઉં. આનું કારણ એ છે કે ગુજરાત એક દારુબંધિત રાજ્ય છે.” તેમણે એ પણ કહ્યું કે તમામ રાજ્યો દારૂ પર પ્રતિબંધ મૂકી દો હું દારૂ વિશે ગીતો ગાવાનું બંધ કરી દઈશ.

દિલજીતે ફની જવાબ આપ્યો
સિંગરે કહ્યું, “ચાલો એક ચળવળ શરૂ કરીએ. જો તમામ રાજ્યો પોતાને દારૂ મુક્ત રાજ્ય જાહેર કરે તો બીજા દિવસથી દિલજીત દોસાંઝ લાઇવ કોન્સર્ટમાં આલ્કોહોલ આધારિત ગીતો ગાવાનું બંધ કરી દેશે. મારી પાસે બીજી એક દરખાસ્ત છે. હું જે પણ શહેરમાં પરફોર્મ કરું ત્યાં એક દિવસ માટે ડ્રાય ડે ઘોષિત કરવામાં આવે. હું આલ્કોહોલ પર આધારિત ગીતો નહીં ગાઉં.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular