Tuesday, July 1, 2025
Google search engine
HomeNewsGujarat15 કિલો ચોકલેટમાંથી ભગવાનના ત્રણ રથ તૈયાર કરાયા

15 કિલો ચોકલેટમાંથી ભગવાનના ત્રણ રથ તૈયાર કરાયા

અમદાવાદ: અષાઢી બીજના દિવસે શહેરના જગન્નાથ મંદિરની 147મી રથયાત્રા યોજાશે. રથયાત્રા પહેલાં દરેક ધર્મ, સમાજ અને સામાજિક સંસ્થાના લોકો મંદિરની મુલાકાત લઈ પોતાની ભાવભક્તિ અને કૃતિભક્તિ ભગવાનને ચરણે ધરે છે. અમદાવાદના શિલ્પાબહેન ભટ્ટ છેલ્લા પાંચ વર્ષથી ચોકલેટના રથ બનાવી ભગવાન જગન્નાથને અર્પણ કરે છે. શિલ્પાબહેન આશુતોષ ભટ્ટ ચિત્રલેખા.કોમને કહે છે, ભગવાનનો કોઈપણ ઉત્સવ અને પ્રસંગ આવે એટલે ચોકલેટમાં કારીગરી કરી ચીજવસ્તુઓ બનાવવા પ્રયત્ન કરુ છું. ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં સતત પાંચ ચોકલેટની કૃતિઓ બનાવી અર્પણ કરુ છું. આ વર્ષે 15 કિલોગ્રામ ચોકલેટમાંથી ત્રણ રથ તૈયાર કર્યા. મિલ્ક, ડાર્ક ચોકલેટ, એડિબલ કલર્સ સાથે ચાર દિવસમાં રથ તૈયાર કર્યા. હાલમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી ચોકલેટના રથમાં બિરાજમાન છે. શિલ્પાબહેન ચોકલેટના આ રથ ભગવાન જગન્નાથના મંદિરને અર્પણ કરશે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

જગન્નાથ મંદિરને ચોકલેટના રથ અર્પણ થશેભગવાન જગન્નાથ માટે ચોકલેટના રથ

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular